બિહારના લઠ્ઠાકાંડમાં 12 લોકોના થયા મોત, આંકડો વધે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-14 15:01:55

બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલા ગામમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. દારુબંધીવાળા બિહાર રાજ્યમાં લઠ્ઠાકાંડથી 12 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોના પરિજનો ઝેરી દારુ પીવાથી મોત થયાનો દાવો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ સમગ્ર મામલે કંઈ પણ બોલવાની મનાહી કરી રહ્યા છે. 

यूपी के आजमगढ़ में जहरीली शराब से 2 लोगों की मौत, 1 आरोपी हिरासत में, UP  Azamgarh 2 people died allegedly due to consumption of spurious liquor

કેવી રીતે 12 લોકોના થયા મોત? 

બિહારના છપરા જિલ્લાના ડોઈલા ગામમાં મંગળવારે રાત્રે ઝેરી દારુ પીવાથી લોકોની તબીયત બગડવાનો મામલે સામે આવ્યો હતો. ઝેરી દારુ પીવાથી સંજયસિંહ મશરક, કૃણાલ કુમાર, હરેન્દ્ર રામ, વિચેંન્દ્ર રાય, અમિત રંજન, રામજી શાહ, મશરક શાસ્ત્રી ટોલા નામના વ્યક્તિના મોત થઈ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં બિહાર પોલીસ છપરાની હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જ લોકોના મોત કઈ રીતે થયા તે સામે આવશે. જો કે સારવાર લઈ રહેલા લોકોની ગંભીર હાલતને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Nitish Kumar: बिहार विधानसभा में शराबबंदी पर चर्चा के दौरान जब नीतीश कुमार को BJP विधायकों पर आया गुस्‍सा

લઠ્ઠાકાંડનો મામલો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

પોલીસે સમગ્ર મામલે તપાસ  શરૂ કરી દીધી છે. ડોઈલા સહિત કુનબે ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝેરી દારુ વેચનારથી જલદીથી પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેવું સમાચારો મારફતે બહાર આવી રહ્યું છે. બિહારમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થયા છે તે મામલે બિહારના વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે. વિરોધ પક્ષે લઠ્ઠાકાંડ મામલે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષે સમ નીતિશ કુમાર સરકાર પર આક્ષેપો કર્યા હતા. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.