ભાવનગરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:58:40

રાજ્યમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે ભાવનગરના અત્યંત વ્યસ્ત મનાતા સેલારશા ચોક પાસે એક યુવાનની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર શહેરની સંઘેડિયા બજારમાં સેલારશા ચોક પાસે ઇલિયાસ બેલીમ નામના યુવક પર સંઘેડિયા બજાર વિસ્તારમાં સરફરાઝ ઉર્ફે નાનકો સહિતના આરોપીઓએ જાહેરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. 


હોસ્પિટલમાં દમ તોડ્યો


ઇલિયાસ બેલીમ પર જીવલેણ હુમલા થયા બાદ લોહીલુહાણ હાલતમાં તેમને  તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ઈલિયાસનું સારવાર દરમ્યાન મોત થયું હતું, આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 


શા માટે કરાઈ હત્યા?


ભાવનગરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા ઇલિયાસ બેલીમ નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખવામા આવી હતી. ઇલિયાસભાઈ કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ પણ હતા. ઇલિયાસભાઈની હત્યા અંગે ડી.વાય.એસ.પી આર. વી.ડામોરએ જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ઇલિયાસ અરૂણભાઇ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતીદેતી બાબતે માથાકૂટ થઈ હતી, ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે બાદ જ સાચું મોતનું કારણ જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.