ભાવનગરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:58:40

રાજ્યમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે ભાવનગરના અત્યંત વ્યસ્ત મનાતા સેલારશા ચોક પાસે એક યુવાનની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર શહેરની સંઘેડિયા બજારમાં સેલારશા ચોક પાસે ઇલિયાસ બેલીમ નામના યુવક પર સંઘેડિયા બજાર વિસ્તારમાં સરફરાઝ ઉર્ફે નાનકો સહિતના આરોપીઓએ જાહેરમાં ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. 


હોસ્પિટલમાં દમ તોડ્યો


ઇલિયાસ બેલીમ પર જીવલેણ હુમલા થયા બાદ લોહીલુહાણ હાલતમાં તેમને  તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ઈલિયાસનું સારવાર દરમ્યાન મોત થયું હતું, આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જો કે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 


શા માટે કરાઈ હત્યા?


ભાવનગરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા ઇલિયાસ બેલીમ નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખવામા આવી હતી. ઇલિયાસભાઈ કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ પણ હતા. ઇલિયાસભાઈની હત્યા અંગે ડી.વાય.એસ.પી આર. વી.ડામોરએ જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ઇલિયાસ અરૂણભાઇ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતીદેતી બાબતે માથાકૂટ થઈ હતી, ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે બાદ જ સાચું મોતનું કારણ જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.