આંધ્રપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની જનસભામાં મચી દોડભાગ, 7 કાર્યકરોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-29 13:03:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની બુધવારે એક જનસભા હતી. આ જનસભામાં એટલી બધી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જનસભામાં ધક્કામુક્કી થવાને કારણે સાત કાર્યકરોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  

7 કાર્યકરોના થયા મોત 

પાર્ટીના પ્રચાર માટે નેતાઓ રોડ-શો તેમજ સભાઓનું આયોજન કરતા હોય છે. આ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે છે. પરંતુ અનેક વખત રોડ-શો, જનસભા દરમિયાન નાસભાગ મચી જતી હોય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી જ નાસભાગ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની જનસભા દરમિયાન થઈ હતી જેને કારણે 7 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Andhra Pradesh: 7 dead after falling into drainage canal at Chandrababu  Naidu's roadshow

સહાય ચૂકવવાની ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત 

મળતી માહિતી અનુસાર કંદુકુરૂમાં ચંદ્રબાબુ નાયડુની જનસભા આયોજીત કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત હોવાને કારણે ધક્કામુકી સર્જાઈ હતી. આ ધક્કામુક્કીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગ મચવાને કારણે નાયડુની જનસભાને તાત્કાલિક થોભાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમજ ઈજા પામેલા લોકો માટે ચંદ્રબાબૂ નાયડૂએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત પણ કરી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.