હાટકેશ્વર બ્રિજને લઈ એએમસી એક્શન મોડમાં, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કમિટીની કરાઈ રચના, આ તારીખ સુધીમાં કમિટી આપશે રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-03-29 16:49:13

છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં છે. હાટકેશ્વર બ્રિજના નિર્માણ દરમિયાન ઓછી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવામાં આવ્યો છે જેને કારણે પૂલ પર ગાબડા પડી ગયા તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે. વપરાયેલી માલની ગુણવત્તાને કારણે બ્રિજની હાલત એ હદે ખરાબ થઈ ગઈ છે કે બ્રિજનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે આ મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડમાં ઉઠ્યો હતો. જેને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રિજની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેંધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બ્રિજની ગુણવત્તાને લઈ ઊઠ્યા હતા અનેક સવાલ  

થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલો હાટકેશ્વર બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ઘણા સમયથી બ્રિજ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય બાદ જ બ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. બ્રિજના બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. આ બ્રિજને લઈ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો કે બ્રિજના અમુક ભાગોમાં કોંક્રિટ સ્ટેન્થ ખુબ ઓછી છે. જેટલી મજબૂતીથી બ્રિજ બનવો જોઈએ તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજના નિર્માણ પાછળ વાપરવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ બ્રિજના નિર્માણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેવી વાતો થવાની શરૂઆત થઈ. રૂડકીનો રિપોર્ટ થોડા સમય પહેલા આવ્યો હતો.  


ત્રણ સભ્યોની બનાવાઈ કમિટી જે આ અંગે કરશે તપાસ  

હાટકેશ્વર બ્રિજનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઉઠ્યો હતો. આ મામલે હોબાળો થયો હતો. એએમસી બોર્ડની બેઠકમાં આ મુદ્દાને લઈ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બ્રિજની ક્વોલિટી સાથે જોડાયેલા ટેસ્ટના રિપોર્ટમાં શું આવ્યું તે અંગે જવાબ વિપક્ષ દ્વારા માગવામાં આવ્યો હતો. ભારે હોબાળા બાદ મ્યુનિસિપિલ કમિશ્નરે બ્રિજને લઈ કમિટીની રચના કરી છે. ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેનથન એક્સપર્ટ અને એક રૂડકીના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને આનો રિપોર્ટ 15 એપ્રિલ સુધીમાં આપવામાં આવશે. તમામ પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટોના આધારે કોન્ટ્રાક્ટર કંપની પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના જે પણ જવાબદાર અધિકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!