રાજકોટના જસદણમાં હૉસ્ટેલમાં ગૃહપતિ અને આચર્યએ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું


  • Published By : Admin
  • Published Date : 2025-03-31 21:16:06

અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે દિકરીનું બહુ જ ધ્યાન રાખજો, સ્કુલમાં, હૉસ્ટેલમાં, છાત્રાલયમાં રસ્તામાં, પાડોશીઓથી કેમ કે ક્યારે એની સાથે ખોટુ થઈ જાય એનો કોઈ ભરોસો નથી.. પણ હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

ધંધુકાના પચ્છમની ઘટનાના પડઘા હજુ કાનમાં ગુંજી રહ્યાં છે ત્યાં ફરી રાજકોટના જસદણમાં શર્મનાક ઘટના બની. જસદણના આંબરડીમાં આવેલી જીવનશાળા હૉસ્ટેલમાં ગૃહપિતા અને આચર્યએ સગીર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પાંચથી 6 સગીર વિદ્યાર્થીઓને 23 વર્ષનો ગૃહપતિ કિશન ગાંગળિયા એક જર્જરિત રુમમાં લઈ જાય.. 14 વર્ષિય સગીરને નગ્ન કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે. જબરદસ્તી પાન-મસાલા ખવડાવે.. ન ખાય તો ધમકી આપે. બે જેટલા વિદ્યાર્થીઓને ઉલટી પણ થઈ છતાંય માર મારીને પાન-મસાલા ખવડાવે અને પછી આ પ્રકારનું કૃત્ય કરે..ભોગ બનનાર વિદ્યાર્થીએ હૉસ્ટેલના આચાર્યને ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે આચર્ય પણ આ કુકર્મમાં જોડાય ગયો. પછી માનસિક ટોર્ચર અને શારિરીક દુષ્કૃત્ય સહન ન થતા ભોગ બનનારે પોતાના પરિવારને વાત કરી તો પરિવાર તો ચોંકી ઉઠ્યો. આખા કેસની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ તો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીએ ઝડપી લેવાની કાર્યવાહી પણ શરુ કરાય છે. પણ વિચાર તો કરો જેના શિરે વિદ્યાર્થીઓની જવાબદારી છે એ ગૃહપિતા બાળકોને રાત્રે 10 વાગ્યે અલગ રુમમાં લઈ જાય.. એ આવા કૃત્ય માટે પાંચથી છ વિદ્યાર્થીઓને તો અલગ રુમમાં સુવડાવે છે.. જો વિદ્યાર્થીઓ ઈન્કાર કરે તો માર મારે.. જબરદસ્તી વ્યસન કરાવડાવે. શિસ્ત અને અનુશાસન બાળકોમાં આવે એટલે અથવા તો ઘરથી શાળા બહુ જ દુર હોય તો મજબુરીમાં માતા-પિતા બાળકોને હૉસ્ટેલમાં મુકતા હોય છે પણ આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગે. વાલીઓએ આચર્ય સાથે વાત કરી તો એમણે એવો જવાબ આપ્યો કે અમારા શાળામાં આવુ ચાલશે તમારે ભણવવા હોય તો ભણાવો બાકી લઈ જાવ.. યોગ્ય તપાસ થાય તેવી વાલીઓની માંગ છે.

રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકો અને બાળકીઓ સાથે આ પ્રકારના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે.. ક્યારેક અમુક કિસ્સાઓમાં તો વાલીઓ હિંમત કરીને ફરિયાદ કરે ક્યારેક કોઈ રાજકીય દબાણ હોય તો ફરિયાદ કરવા છતાયં કશું ઉખાડી શકાતુ નથી. તો ક્યારેક વાલીઓ જ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.

સમય બદલાયો છે એમ પરિવર્તનો આવ્યા છે અને આપણે એ પરિવર્તનોને સ્વીકાર્યા પણ છે. પણ એની સાથે આવેલા દુષણો પ્રત્યે આપણે બિલકુલ સજાગ નથી. એ દુષણો ક્યારેય સ્વીકાર્ય નથી... રોજરોજ વધતી ઘટનાઓ સવાલ કરે છે કે આ કેવો સમાજ છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ રોજ સામે આવે છે છતાંય કોઈ વિરોધ નથી કરતું. કોઈ ફરિયાદ નથી કરતું. માત્ર સમાચાર વાંચીને ચિત્કાર નીકળે અને પછી સમી જાય. જો તમારી અંદર કશુંક બદલાય નહીં તો આ પરિસ્થિતિ પણ બદલાશે એની અપેક્ષા બહુ રાખી શકીએ નહીં. ફરક પડવો જોઈએ. કોઈની સાથે થયું છે ત્યાં જાત મુકીને જોવી પડે તો જ દુષણોને ડામી શકાય અને બીજા નિર્દોષોને બચાવી શકાય. આપણે ક્યાં રસ્તે જવું છે એ નક્કી આપણે કરવાનું છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.