રાજકોટના જસદણમાં હૉસ્ટેલમાં ગૃહપતિ અને આચર્યએ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું


  • Published By : Admin
  • Published Date : 2025-03-31 21:16:06

અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે દિકરીનું બહુ જ ધ્યાન રાખજો, સ્કુલમાં, હૉસ્ટેલમાં, છાત્રાલયમાં રસ્તામાં, પાડોશીઓથી કેમ કે ક્યારે એની સાથે ખોટુ થઈ જાય એનો કોઈ ભરોસો નથી.. પણ હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

ધંધુકાના પચ્છમની ઘટનાના પડઘા હજુ કાનમાં ગુંજી રહ્યાં છે ત્યાં ફરી રાજકોટના જસદણમાં શર્મનાક ઘટના બની. જસદણના આંબરડીમાં આવેલી જીવનશાળા હૉસ્ટેલમાં ગૃહપિતા અને આચર્યએ સગીર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પાંચથી 6 સગીર વિદ્યાર્થીઓને 23 વર્ષનો ગૃહપતિ કિશન ગાંગળિયા એક જર્જરિત રુમમાં લઈ જાય.. 14 વર્ષિય સગીરને નગ્ન કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે. જબરદસ્તી પાન-મસાલા ખવડાવે.. ન ખાય તો ધમકી આપે. બે જેટલા વિદ્યાર્થીઓને ઉલટી પણ થઈ છતાંય માર મારીને પાન-મસાલા ખવડાવે અને પછી આ પ્રકારનું કૃત્ય કરે..ભોગ બનનાર વિદ્યાર્થીએ હૉસ્ટેલના આચાર્યને ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે આચર્ય પણ આ કુકર્મમાં જોડાય ગયો. પછી માનસિક ટોર્ચર અને શારિરીક દુષ્કૃત્ય સહન ન થતા ભોગ બનનારે પોતાના પરિવારને વાત કરી તો પરિવાર તો ચોંકી ઉઠ્યો. આખા કેસની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ તો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીએ ઝડપી લેવાની કાર્યવાહી પણ શરુ કરાય છે. પણ વિચાર તો કરો જેના શિરે વિદ્યાર્થીઓની જવાબદારી છે એ ગૃહપિતા બાળકોને રાત્રે 10 વાગ્યે અલગ રુમમાં લઈ જાય.. એ આવા કૃત્ય માટે પાંચથી છ વિદ્યાર્થીઓને તો અલગ રુમમાં સુવડાવે છે.. જો વિદ્યાર્થીઓ ઈન્કાર કરે તો માર મારે.. જબરદસ્તી વ્યસન કરાવડાવે. શિસ્ત અને અનુશાસન બાળકોમાં આવે એટલે અથવા તો ઘરથી શાળા બહુ જ દુર હોય તો મજબુરીમાં માતા-પિતા બાળકોને હૉસ્ટેલમાં મુકતા હોય છે પણ આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગે. વાલીઓએ આચર્ય સાથે વાત કરી તો એમણે એવો જવાબ આપ્યો કે અમારા શાળામાં આવુ ચાલશે તમારે ભણવવા હોય તો ભણાવો બાકી લઈ જાવ.. યોગ્ય તપાસ થાય તેવી વાલીઓની માંગ છે.

રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકો અને બાળકીઓ સાથે આ પ્રકારના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે.. ક્યારેક અમુક કિસ્સાઓમાં તો વાલીઓ હિંમત કરીને ફરિયાદ કરે ક્યારેક કોઈ રાજકીય દબાણ હોય તો ફરિયાદ કરવા છતાયં કશું ઉખાડી શકાતુ નથી. તો ક્યારેક વાલીઓ જ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.

સમય બદલાયો છે એમ પરિવર્તનો આવ્યા છે અને આપણે એ પરિવર્તનોને સ્વીકાર્યા પણ છે. પણ એની સાથે આવેલા દુષણો પ્રત્યે આપણે બિલકુલ સજાગ નથી. એ દુષણો ક્યારેય સ્વીકાર્ય નથી... રોજરોજ વધતી ઘટનાઓ સવાલ કરે છે કે આ કેવો સમાજ છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ રોજ સામે આવે છે છતાંય કોઈ વિરોધ નથી કરતું. કોઈ ફરિયાદ નથી કરતું. માત્ર સમાચાર વાંચીને ચિત્કાર નીકળે અને પછી સમી જાય. જો તમારી અંદર કશુંક બદલાય નહીં તો આ પરિસ્થિતિ પણ બદલાશે એની અપેક્ષા બહુ રાખી શકીએ નહીં. ફરક પડવો જોઈએ. કોઈની સાથે થયું છે ત્યાં જાત મુકીને જોવી પડે તો જ દુષણોને ડામી શકાય અને બીજા નિર્દોષોને બચાવી શકાય. આપણે ક્યાં રસ્તે જવું છે એ નક્કી આપણે કરવાનું છે.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.