ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના લેટર બોંબથી કોંગ્રેસનું રાજકારણ ગરમાયું, પાર્ટીને ચંડાળ ચોકડીથી મુક્ત કરવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-23 17:57:49

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક રાજકારણ પાર્ટી માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યું છે. પાર્ટીમાં ચાલતી ટાંટીયાખેંચ જ તેને ભાજપ સામે મુકાબલો કરવા માટે નિર્બળ બનાવી દે છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલ માટે પણ પાર્ટીનો આંતરિક વિખવાદ મોટો પડકાર બની રહેશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ મામલે પાર્ટીના બે મુસ્લિમ નેતાઓ ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને વિનંતી કરી છે કે પક્ષના અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ઘેરી લઈ ગેરમાર્ગે દોરતા હોય છે તેવું ધ્યાન દોર્યું છે. જો કે  તેમણે આ ચંડાળ ચોકડી કોણ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. વધુમાં તેમણે લખ્યું છે કે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટમાં આવા કેટલાક પ્રસ્થાપિત હિતો વર્ષોથી કબજો જમાવીને બેઠા છે અને શહેરોમાં કોઈ જ પરિણામ અપાવી શકતા નથી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રથી કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે.


ચંડાળ ચોકડીઓથી મુક્ત પાર્ટીને મુક્ત બનાવો


ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે. તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."


સમાજના તમામ વર્ગને પાર્ટીમાં મહત્વ આપો


ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ  તેમના પત્રમાં લખ્યું છે કે "કોંગ્રેસ ગુજરાતના શહેરોની 54 સીટોમાંથી માત્ર બે જ સીટ લઘુમતી સમાજના બાહુલ્ય મતો ધરાવતી કોંગ્રેસ જીતી શકે છે. જયાં સુધી શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા ચઢી બેઠેલા પ્રસ્થાપિત હિતોથી મુક્ત કરવામાં નહી આવે ત્યા સુધી ક્યારેય પણ કોંગ્રેસ ગુજરાતની સત્તા પર આવી શકશે નહીં. તમામ ધર્મ અને જાતિના લોકોના સમૂહથી જ પક્ષ મજબૂત થતો હોય છે અંતે તે મતોમાં પરિવર્તિત થાય છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા કોંગ્રેસ પક્ષની વિચારધારામાં માનતા તમામ ધર્મ, જ્ઞાતિ સહિત નાના સમૂહોમાંથી પણ કાર્યકર્તાઓને શોધી કાઢી પક્ષ માટે દિવસ રાત કામ કરી અવાજ બુલંદ કરતા કાર્યકરોને પૂરતું મહત્વ આપી નવેસરથી દરેક સમાજમાં નેતૃત્વ ઉભુ કરવાની તાતી જરુરિયાત છે."


હાજી જુમા રાયમાનું પણ સમર્થન મળ્યું


પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાને  કોંગ્રેસના અન્ય એક અગ્રણી મુસ્લિમ નેતાનું પણ સમર્થન મળ્યું છે. કચ્છ કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાએ પણ ગ્યાસુદ્દિન શેખની નારાજગીનું સમર્થન કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સંબોધીને તેમણે ટ્વીટ કર્યું છે. ગુજરાતથી દિલ્હી જતા પ્રતિનિધિ મંડળમાં મુસ્લિમ નેતાઓએ પણ સાથે રાખવાની વાત કરી છે. તેમણે ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને સાથે રાખવાની પણ માગ કરી છે. ગુજરાતના મુસ્લિમ સમાજની આ લાગણી હોવાની હાજી જુમા રાયમાએ વાત કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!