ઈમરાનના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી, PM શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-08 14:18:10


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ પછી ડોક્ટરોએ કરેલી સર્જરી બાદ તેમના પગમાંથી ત્રણ ગોળીઓ કાઢી છે. ઈમરાન ખાને સીએનએનને આપેલા ઈન્ટરર્વ્યુંમાં કહ્યું કે તેમના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી છે, જો કે કેટલાક છરા પણ હતા જે તેમણે પગમાં જ રહેવા દીધા છે.


પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ


ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર બે મહિના પહેલા જ રચવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે જ તેમના પર હુમલાની યોજના બનાવી હતી. જો કે તેમણે ધાર્મિક કટ્ટરપંથી યુવાનને તેનું મોહરૂ બનાવ્યો હતો. ઈમરાન ખાને વધુમા જણાવ્યું કે તેમના પર હુમલાના ષડયંત્ર અંગે તેમને જાણ કરી દેવામાં આવી હતી.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.