ઈમરાનના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી, PM શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-08 14:18:10


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ પછી ડોક્ટરોએ કરેલી સર્જરી બાદ તેમના પગમાંથી ત્રણ ગોળીઓ કાઢી છે. ઈમરાન ખાને સીએનએનને આપેલા ઈન્ટરર્વ્યુંમાં કહ્યું કે તેમના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી છે, જો કે કેટલાક છરા પણ હતા જે તેમણે પગમાં જ રહેવા દીધા છે.


પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ


ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર બે મહિના પહેલા જ રચવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે જ તેમના પર હુમલાની યોજના બનાવી હતી. જો કે તેમણે ધાર્મિક કટ્ટરપંથી યુવાનને તેનું મોહરૂ બનાવ્યો હતો. ઈમરાન ખાને વધુમા જણાવ્યું કે તેમના પર હુમલાના ષડયંત્ર અંગે તેમને જાણ કરી દેવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.