ઈમરાન ખાનને આવતી કાલ સુધી મળી રાહત, લાહોર હાઇકોર્ટે ધરપકડ રોકવાનો પોલીસને કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:04:48

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે બુધવારે ઇમરાન ખાનને ગુરુવાર સુધી તેમના ઘરની બહાર કાર્યવાહી રોકવાનો આદેશ આપીને કામચલાઉ રાહત આપી છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ મંગળવારે લાહોર હાઇકોર્ટમાં પોલીસ કાર્યવાહીને પડકારી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તે સરકારને તેનો અંત લાવવાનો નિર્દેશ આપે. બુધવારે, લાહોર હાઈકોર્ટ (LHC) એ પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની અરજી પર પંજાબના ઈન્સ્પેક્ટર જનરલ, ચીફ સેક્રેટરી અને ઈસ્લામાબાદ પોલીસ (ઓપરેશન્સ)ના વડાને બોલાવ્યા પછી પોલીસે ઓપરેશન બંધ કર્યું હતું. હવે આ મામલે આવતીકાલે સવારે 10 વાગ્યે સુનાવણી થશે.


કોર્ટમાં પંજાબ પ્રાંતના DIG રહ્યા હાજર


ફવાદ ચૌધરીએ કોર્ટ પાસે લાહોરના જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ ઓપરેશન રોકવાનો આદેશ માંગ્યો હતો. લાહોર હાઈકોર્ટના એક અધિકારીએ કહ્યું, "પંજાબ પ્રાંતના DIG ડો. ઉસ્માન અનવર કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે પોલીસે આ ઓપરેશન શરૂ કરવું પડ્યું કારણ કે તોશાખાના ભેટ કેસમાં ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાન માટે ધરપકડ વોરંટ લાવી હતી. " અમારે કાયદા હેઠળ આ આદેશનો અમલ કરવાનો હતો. તેમણે કહ્યું કે પીટીઆઈ કાર્યકર્તાઓ સાથેની અથડામણમાં લગભગ 59 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.


PTIના સમર્થકોએ ઉજવણી કરી 


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક પહોંચેલી પોલીસને PTIના સમર્થકોના ભારે વિરોધને કારણે ધરપકડ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.  લાહોર હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ બુધવારે પોલીકર્મીઓ પરત ફર્યા ત્યાર  પછી PTI સમર્થકોએ ઝમાન પાર્કની બહાર ઉજવણી કરી હતી.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.