રાજ્યના 164 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ગોધરામાં સૌથી વધુ 8.9 ઇંચ વરસાદ, આ જિલ્લાઓ માટે આગામી ત્રણ દિવસ ભારે


  • Published By :
  • Published Date : 2023-09-17 19:40:06

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમેહર થઈ છે. વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 164 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ગોધરામાં 8.9, શહેરામાં 8.7, વિરપુરમાં 8.1, તલોદમાં 7.1, મોરવા હડફમાં અને ધનસુરામાં 6.7, લુણાવાડામાં 6.6 અને પ્રાંતિજમાં 6.1 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પાટણમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


આજે આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી


રાજ્યમાં આજ સવારથી વિવિધ જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.


રાજ્યના આ જિલ્લાઓ માટે આગાહી


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.   


આ જિલ્લાઓમાં થશે મેઘ મહેર


જ્યારે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરુચ, નર્મદા અને સુરતમાં પણ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, નવસારી, ડાંગ, તાપી અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.