ILO Unemployment Report : ચૂંટણી પહેલા સામે આવ્યો બેરોજગારોનો આંકડો! ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 12:57:51

ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. ભારતને યુવાનોનો દેશ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.... પરંતુ ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે તેવો રિપોર્ટ  ILO અને IHD દ્વારા આપવામાં આવ્યો છે.! ILO એટલે  ઈન્ટરનેશનલ લેબર ઓર્ગોનાઈઝેશન અને IHD  એટલે ઈન્સ્ટીયુટ ઓફ હ્યુમન ડેવલેપમેન્ટ.. આ રિપોર્ટમાં બેરોજગારીની માહિતી આપવામાં આવી છે જે ચોંકાવનારી છે. બેરોજગારીમાં સૌથી વધારે આંકડો શિક્ષિત બેરોજગારોનો છે...


ચૂંટણી પહેલા આવ્યો બેરોજગારો અંગેનો રિપોર્ટ!

લોકસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણીના માહોલમાં અનેક મુદ્દાઓ હશે જેને ઉઠાવવામાં આવશે. બેરોજગારી, મોંઘવારી, શિક્ષા જેવી વાતો પર નિવેદનો આપવામાં આવશે પરંતુ પરિણામ કંઈ નહીં આવે..! બેરોજગારીનું સંકટ ભારત દેશના યુવાનો પર સતત વધી રહ્યું છે. બેરોજગારી ઘટવાની બદલીમાં બેરોજગારી દર વધ્યો છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 


આ રાજ્યોમાં સૌથી વધારે યુવાનો છે બેરોજગાર!

બેરોજગારોની સંખ્યામાં સૌથી મોટો ફાળો શિક્ષિત બેરોજગારોનો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં આ શિક્ષિત બેરોજગારોની ભાગેદારી 54.2 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 65.7 ટકા થઈ ગઈ છે.  22 વર્ષમાં આ આંકડો વધારે વધ્યો છે.! આ આંકડા હજુ પણ વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શિક્ષિત લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ઓછામાં ઓછા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે કામ શોધવાની દોડમાં સૌથી વધારે યુવાનો છે. કામ શોધી રહેલા લોકોમાં 83 ટકા યુવાનો છે. રિપોર્ટ અનુસાર જે રાજ્યોમાં બેરોજગારીનો દર ઊંચો છે તેની વાત કરીએ તો તેમાં ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજગારીના આંકડામાં બહુ સુધારો જોવા મળ્યો નથી. 



યુવાનોને નથી ટેક્નોલોજી વિશે જ્ઞાન!

અનેક કારણો બેરોજગારી પાછળ જવાબદાર હોઈ શકે છે જેમ કે યુવાનો ટેક્નોલોજી અંગે વધારે જાણકાર નથી.. ડિઝિટલ સ્કીલ્સ ના હોવાને કારણે પણ આ રેટ વધારે હોઈ શકે છે. અનેક લોકો પાસે સામાન્ય જાણકારી પણ નથી હોતી ટેક્નોલોજીની... જેને કારણે તેમને નોકરી નથી મળતી અને તે બેરોજગાર રહી જાય છે. મહત્વનું છે કે વધતી બેરોજગારી એક સમસ્યા છે પરંતુ વધતા જતા શિક્ષિત બેરોજગાર વધારે મોટી સમસ્યા  છે...!  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .