સોમનાથ મંદિર આસપાસ દબાણો દૂર કરાયા, પોલીસ બંદોબસ્ત સાથે 3 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:57:51

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીનો પરના અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ તંત્રએ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર 144થી વધુ પાથરણાવાળાઓ અને લારી-ગલ્લાઓને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યાં હતાં. ગઈકાલે દરિયાકિનારે યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં 175 જેટલાં ગેરકાયદે મકાનો દૂર કરાયાં હતાં.


જડબેસલાક પોલીસ બંદોબસ્ત


સોમનાથ મંદિરના જે મુખ્ય પ્રેવેશ માર્ગ એવા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના મુખ્યમાર્ગ પર લારી-ગલ્લાવાળા અને પાથરણા વાળાઓને આજે વહેલી સવારથી દૂર કરવામાં આવ્યા છે. આ અંગે વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગઈકાલે 144 જેટલા દબાણ ધારકોને નોટિસો આપવામાં આવી હતી. આ દબાણો હટાવવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો કામે લગાડાયાં હતાં. આ મેગા ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા પણ સ્થળ પર હાજર રહ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જડબેસલાક પોલીસ- બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ આજે બીજા દિવસે પણ યાત્રાધામ સોમનાથમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને સરકારી જમીન પરના વર્ષો જુના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. સોમનાથ તંત્રએ મેગા ડિમોલિશન દ્વારા 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, હવે આ ખુલ્લી જમીનને ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.​​​​​



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.