આઇઆઇએમ અમદાવાદનો લોગો બદલાયો ,સંસ્કૃત શબ્દોને લોગોની નીચે લખાયા !!


  • Published By :
  • Published Date : 2022-11-03 19:49:02


IIMમાં છેલ્લા કેટલાય સમયથી લોગો બદલવા માટે વિવાદ ચાલી રહ્યો હતો કે ડોમેસ્ટિક લોગો છે તેમાંથી સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં IIM ના ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર લોગો બદલવામાં આવ્યો હોવાથી ફેકલ્ટી કાઉન્સિલે તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ લોગો બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બોર્ડ ઓફ ગવર્ન્સની મિટિંગમાં લોગોમાં કેટલાક બદલાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને હવે લોગોમાં બદલાવ કરી નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે.


AHMEDABADને બદલી IIMA લખવામાં આવ્યું !!!

IIM અમદાવાદમાં જુના લોગોમાં IIM અને તેની નીચે AHMEDABAD લખવામાં આવ્યું હતું તે બદલીને IIMA કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુના લોગોની અંદર વિદ્યાવિનિયોગાદ્વિકાસ: સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે સંસ્કૃત શબ્દોને નવા લોગોમાં લોગોની નીચે રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત લોગોની અંદર જે જાળી હતી તે જાળીને નવા લોગોમાં વધુ બોલ્ડ કરવામાં આવી છે. 


આના પર થયો વિરોધ !!


IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ કહ્યું , અત્યારના ડાયરેક્ટરનો નિર્ણય બિલકુલ ખોટો છે, આ નિર્ણય મનસ્વી નિર્ણય છે. 1961થી IIM ના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે IIM એ અનેક ખ્યાતિ હાંસલ કરી છે. બોર્ડને ડાયરેક્ટરે પ્રપોઝલ આપ્યું ત્યારે ફેકલ્ટી પાસેથી એપ્રૂવલ પણ મેળવ્યું નથી. બોર્ડ દ્વારા આ નિર્ણય પરત ખેંચવો જોઈએ અને IIMનો લોગો જે અગાઉ હતો તે જ ઇન્ટરનેશનલ લોગો માટે રાખવો જોઈએ.







21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે