The Kashmir Filesને IFFI જ્યુરીના હેડે વલ્ગર અને પ્રોપોગેન્ડા ગણાવી, તેમના નિવેદનનો થઈ રહ્યો છે વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-29 11:38:09

ગોવામાં હાલ 53મો ઈન્ટરનેશન્લ ફિલ્મ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં જ્યૂરીએ અનુપમ ખેરની ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સને લઈ નિવેદન આપ્યું છે જેને કારણે ફરી એક વખત ધી કાશ્મીર ફાઈલ્સ ચર્ચામાં આવી છે. ફિલ્મને લઈ નિવેદન આપતા જ્યૂરી હેડ Nadav Lapidએ ફિલ્મને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી ફિલ્મ ગણાવી છે. Nadav Lapidના આવું કહેવાથી અનુપમ ખેર તેમજ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડકી ઉઠ્યા છે.

અનુપમ ખેરે આપી પ્રતિક્રિયા 

ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા Nadav Lapidએ કહ્યું કે અમે બધા હેરાન છીએ. આ ફિલ્મ અમને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી લાગી. વધુમાં તેમણે કહ્યું આ ફિલ્મ આટલા માટો અને પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે ઉચિત નથી. તેમના આ પ્રકારના નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

  

અશોક પંડિતે પણ આપી પ્રતિક્રિયા 

પોતાની પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે આ નિવેદનની ટીકા કરી છે. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે અસત્યનું કદ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ સત્યના કદથી તો હમેશાં નાનું જ રહેવાનું. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓછા શબ્દોમાં તેમણે ઘણું બધુ કહી દીધું. અશોક પંડિતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ ફિલ્મને વલ્ગર ગણાવી ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી સંઘર્ષનું અપમાન કર્યું છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે