પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરો તો પડી શકે છે આ મુશ્કેલીઓ! જાણો કેમ વસૂલાઈ રહ્યો છે 1000રુ. નો ચાર્જ!


  • Published By :
  • Published Date : 2023-03-17 19:26:39

છેલ્લાં કેટલાંય દિવસથી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું હોય તો 1000 રુપિયા આપવા પડે છે, ત્યારે એ મુદ્દે ઘણું ક્નફ્યુઝન છે, કે આખરે આ મુદ્દો શું છે?                          

હકીકતમાં બાબત એવી છે કે ભારતના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ જાહેરાત કરી હતી કે તમારે પાનકાર્ડને અને આધારકાર્ડ સાથે ફરિજીયાત લિંક કરવું પડશે અને તે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022, રાખવામાં આવી હતી, અને જો તે પછી કોઈ પાનને આધાર સાથે લિંક નથી કરાવતા, તો તેમને પેનેલ્ટી ચૂકવીને બંને કાર્ડને લિંક કરાવવા પડશે. અને તે માટે જૂન 2022 સુધી 500 રુપિયા પેનેલ્ટી રાખવામાં આવી હતી, અને જુલાઈ 2022 થી માર્ચ 2023 સુધી આ પેનેલ્ટીને 500થી વધારીને 1000 રુપિયા કરવામાં આવી. અને તેને લીધે જ હાલ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રુપિયાનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

1000 રુ. પેનેલ્ટી હોવાથી લોકોને આર્થિક ફટકો

એટલે જે લોકોને એ લાગતું હતું કે આ 1000 રુપિયા જેટલી રકમ તેમની પાસેથી વસુલાય છે, તે એક પ્રકારનો ફ્રોડ છે, પણ તેવું જરાય નથી. એ સરકારનો જ આદેશ છે અને કર્મચારીઓ એ આદેશ પર જ કામ કરી રહ્યાં છે, હવે આમા, બીજા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યાં છે, કે સરકાર આની પર સમાન્ય પેનેલ્ટી પણ રાખી શકતી હતી ને ? કેમ કે કોઈ સામાન્ય માણસ માટે 1000 રુપિયા નીકળવા એ કંઈ સહેલી વાત નથી, કારણ કે રોજ કમાવીને રોજનું ખાનારો માણસ તો 1000 રુપિયા એક ઝાટકે આપી દે છે તો કદાચ 10 દિવસ તેના ઘરમાં તેનો ચૂલો નહી સળગે..એટલે આવા ગંભીર પ્રશ્નો તો સરકારને પૂછવા જ પડે. આ સિવાય વધુ એક સવાલ નાગરિકોને પણ થાય કે સરકાર પણ તો કેટલાંય વર્ષોથી બૂમો પાડીને થાકી ગઈ પણ આપણે એ તસ્દી ક્યારેય નથી લીધી અને એના કારણે જ હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 

જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો શું થશે? 

હવે વાત કરીએ કે જો 31 માર્ચ 2023 પછી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો શું થશે…તો જો એવું નહીં કરવામાં આવે તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય એટલે કે ડિફોલ્ટ થઈ જશે, પછી એ પાનકાર્ડનો ઉપયોગ તમે ઈન્કમટેક્સને લગતા કોઈ કામ માટે નહીં કરી શકો.,અને એટલું જ નહીં જો પાનને આધારસાથે લિંક કરવામાં નહીં આવે તો તમે ઈન્ક્મટેક્સ રિર્ટન પણ ફાઈલ નહીં કરી શકો અને અત્યારસુધી જે રિર્ટનને તમે ફાઈલ કર્યા છે, તેનું રિફંડ પણ તમને મળશે નહીં. તેથી બને એટલી ઝડપથી તમારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.