પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરો તો પડી શકે છે આ મુશ્કેલીઓ! જાણો કેમ વસૂલાઈ રહ્યો છે 1000રુ. નો ચાર્જ!


  • Published By :
  • Published Date : 2023-03-17 19:26:39

છેલ્લાં કેટલાંય દિવસથી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું હોય તો 1000 રુપિયા આપવા પડે છે, ત્યારે એ મુદ્દે ઘણું ક્નફ્યુઝન છે, કે આખરે આ મુદ્દો શું છે?                          

હકીકતમાં બાબત એવી છે કે ભારતના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ જાહેરાત કરી હતી કે તમારે પાનકાર્ડને અને આધારકાર્ડ સાથે ફરિજીયાત લિંક કરવું પડશે અને તે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022, રાખવામાં આવી હતી, અને જો તે પછી કોઈ પાનને આધાર સાથે લિંક નથી કરાવતા, તો તેમને પેનેલ્ટી ચૂકવીને બંને કાર્ડને લિંક કરાવવા પડશે. અને તે માટે જૂન 2022 સુધી 500 રુપિયા પેનેલ્ટી રાખવામાં આવી હતી, અને જુલાઈ 2022 થી માર્ચ 2023 સુધી આ પેનેલ્ટીને 500થી વધારીને 1000 રુપિયા કરવામાં આવી. અને તેને લીધે જ હાલ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રુપિયાનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

1000 રુ. પેનેલ્ટી હોવાથી લોકોને આર્થિક ફટકો

એટલે જે લોકોને એ લાગતું હતું કે આ 1000 રુપિયા જેટલી રકમ તેમની પાસેથી વસુલાય છે, તે એક પ્રકારનો ફ્રોડ છે, પણ તેવું જરાય નથી. એ સરકારનો જ આદેશ છે અને કર્મચારીઓ એ આદેશ પર જ કામ કરી રહ્યાં છે, હવે આમા, બીજા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યાં છે, કે સરકાર આની પર સમાન્ય પેનેલ્ટી પણ રાખી શકતી હતી ને ? કેમ કે કોઈ સામાન્ય માણસ માટે 1000 રુપિયા નીકળવા એ કંઈ સહેલી વાત નથી, કારણ કે રોજ કમાવીને રોજનું ખાનારો માણસ તો 1000 રુપિયા એક ઝાટકે આપી દે છે તો કદાચ 10 દિવસ તેના ઘરમાં તેનો ચૂલો નહી સળગે..એટલે આવા ગંભીર પ્રશ્નો તો સરકારને પૂછવા જ પડે. આ સિવાય વધુ એક સવાલ નાગરિકોને પણ થાય કે સરકાર પણ તો કેટલાંય વર્ષોથી બૂમો પાડીને થાકી ગઈ પણ આપણે એ તસ્દી ક્યારેય નથી લીધી અને એના કારણે જ હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 

જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો શું થશે? 

હવે વાત કરીએ કે જો 31 માર્ચ 2023 પછી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો શું થશે…તો જો એવું નહીં કરવામાં આવે તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય એટલે કે ડિફોલ્ટ થઈ જશે, પછી એ પાનકાર્ડનો ઉપયોગ તમે ઈન્કમટેક્સને લગતા કોઈ કામ માટે નહીં કરી શકો.,અને એટલું જ નહીં જો પાનને આધારસાથે લિંક કરવામાં નહીં આવે તો તમે ઈન્ક્મટેક્સ રિર્ટન પણ ફાઈલ નહીં કરી શકો અને અત્યારસુધી જે રિર્ટનને તમે ફાઈલ કર્યા છે, તેનું રિફંડ પણ તમને મળશે નહીં. તેથી બને એટલી ઝડપથી તમારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!