મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો - કોંગ્રેસ


  • Published By :
  • Published Date : 2022-11-01 10:52:37

રવિવારની સાંજે મોરબીમાં બનેલી દુર્ઘટના પર તમામ રાજકીય પાર્ટીઓએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર પાર્ટીઓએ રાજકારણ કરવાની ના પાડી હતી. આ ઘટના પર રાજકારણ કર્યું પણ ન હતું. પરંતુ મોરબીથી એક વીડિયો સામે આવતા પાર્ટીઓ રાજકારણ કરી રહી છે. આ વીડિયો છે મોરબી સિવિલ હોસ્પિટલનો. હોસ્પિટલને વડાપ્રધાનના આગમન પહેલા રંગીન કરવામાં આવી હતી. આ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

  

મોતનો તમાશો ન બનાવો - કોંગ્રેસ

મોરબીની ઘટના બાદ દરેક પાર્ટીએ કાર્યક્રમ રદ્દ કરી દીધા હતા. તમામ પાર્ટીએ પોતાની સહાનુભુતિ વ્યક્ત કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલનો વીડિયો સામે આવતા કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે એક બાજુ પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈ સિવિલ હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને રીનોવેશન ચાલું કરવામાં આવ્યું. શું ખરેખર દર્દીની ખબર પૂછવા આવો છો???


આવા વ્યવહારની શું લોકોએ રાખી હશે આશા??? 

તંત્રની આવી કામગીરી પર સવાલ ઉઠવા વ્યાજબી છે. એક તરફ લોકોએ જ્યાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આવી ઘટના બાદ તંત્ર દ્વારા આવા વ્યવહારની અપેક્ષા કોઈએ ન રાખી હોય. તંત્ર હોનારતને તો ન રોકી શક્યું પરંતુ દુ:ખમાં સહભાગી થાય તેવી આશા તો સૌ રાખે છે. જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હશે, તે જો આ દ્રશ્ય જુવે તો તેના દિલમાંથી કેટલી હાય નીકળતી હશે. તેને કેટલુ દુખ થાય તેની કલ્પના આપણે ન કરી શકીએ.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.