વિસાવદર વિધાનસભા સીટ સૌથી પહેલા ખાલી થઈ તો ચૂંટણી શું કામ જાહેર ના કરાઈ? જો ચૂંટણી જાહેર થાય તો Gopal Italia હશે ઉમેદવાર...?


  • Published By :
  • Published Date : 2024-03-18 18:52:11

લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની 5 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે રાહ જોવામાં આવી રહી હતી કે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થાય. પરંતુ માત્ર 5 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ. વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ કારણ કે કોર્ટ કેસ ત્યાં ચાલી રહ્યો છે. જો પેટા ચૂંટણી અંગેની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો વિસાવદર માટે પેટાચૂંટણી થાય છે તો ગોપાલ ઈટાલિયાને ત્યાં માટે ઉમેદવાર ઘોષિત થઈ શકે છે.

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની નથી કરવામાં આવી જાહેરાત!

2022માં વિધાનસભા બેઠક યોજાઈ હતી. ભાજપને ફાળે 156 સીટો આવી હતી જ્યારે કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 ઉપરાંત અપક્ષના 3 ઉમેદવાર જીત્યા હતા. પરંતુ સમયની સાથે સાથે અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિસાવદર, પોરબંદર, વાઘોડિયા, ખંભાત વિજાપુર તેમજ માણાવદરના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બેઠક ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની 6 પેટા ચૂંટણીને લઈ તારીખ જાહેર થઈ શકે છે પરંતુ 5 બેઠકો માટે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 

ગોપાલ ઈટાલિયા હોઈ શકે છે પેટા ચૂંટણીના ઉમેદવાર 

વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખની જાહેરાત નથી કરવામાં આવી. લોકસભા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પેટા ચૂંટણી માટે પણ ગઠબંધન થઈ શકે છે. શનિવારે આપ તેમજ કોંગ્રેસના નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. વિસાવદર પેટા ચૂંટણી માટે જો ઉમેદવારના નામ અંગેની ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઈટાલિયા ઉમેદવાર હોઈ શકે છે. વિસાવદરમાં પેટાચૂંટણીની જાહેરાત ના કરવામાં આવી તે બાદ ગોપાલ ઈટાલિયા સાથે દેવાંશી જોશીએ વાત કરી ત્યારે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. વિસાવદરની ચૂંટણી કેમ જાહેર ના કરવામાં આવી તે અંગે પણ તેમણે પ્રહાર કર્યા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.