Gujaratની Police કે સરકારી અધિકારી ચોરી કરે છે તો એ ચોરીના હિસ્સેદાર તમે શું કામ બનો છો? ફોન કરો ACBમાં અને ખુલ્લા પાડો એમને...


  • Published By :
  • Published Date : 2024-02-29 14:10:01

જ્યારે આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે પૈસા ખવડાવીએ ત્યાં સુધી આપણું કામ નહીં થાય, આપણી ફાઈલ આગળ નહીં વધે. મહદઅંશે વાત પણ સાચી છે, જ્યારે સરકારી ઓફિસમાં આપણે જઈએ છીએ ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્યાં સુધી આપણે લાંચ નથી આપતા ત્યાં સુધી આપણું કામ નથી થતું. આપણે સવાલ માત્ર એવા લોકો સામે કરીએ છીએ કે જે લાંચ લેતા હોય છે પરંતુ તે વ્યક્તિઓને આપણે ભૂલી જઈએ છીએ કે લાંચ એ ત્યારે જ લે છે જ્યારે આપણે આપીએ છીએ. આપણું કામ ના અટકે તે માટે આપણે પૈસા આપતા હોઈએ છીએ અને પછી વાંક કાઢીએ છીએ સરકારી કર્મચારીઓનો.! મહત્વનું છે કે ઘણી વખત અધિકારીઓ દ્વારા પણ સામાન્ય માણસોને હેરાન કરવામાં આવતા હોય છે જો પૈસા નથી આપવામાં આવતા તો...   

વિભાગમાં રહીને જ્યારે અધિકારી નિષ્ઠાથી કામ કરે છે ત્યારે જ....

લાંચ લેવાવાળા જેટલા દોષિ છે તેટલા જ દોષિ લાંચ આપવા વાળા છે. આપણે જ માની લેતા હોઈએ છીએ કે પૈસા આપ્યા વગર આપણું કામ નથી થાય. કદાચ એ લાંચ લેવા માટે પ્રોત્સાહિત આપણે જ કરતા હોઈએ છીએ અનેક ઘટનાઓમાં. પોલીસ વિભાગ ખરાબ છે તેની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ પરંતુ તે જ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અનેક વખત પ્રશંસનિય છે. એસીબી દ્વારા જે કામ કરવામાં આવે છે ત્યારે આવા લાંચિયા અધિકારીઓ પકડાય છે. પૈસા લેતા જ્યારે એસીબી પકડે છે ત્યારે આવા અધિકારીઓ પકડાય છે. જો એસીબી નિષ્ઠા પૂર્વક કામ ન કરતી હોત તો આવા અધિકારીઓ પકડાય જ નહીં.


જેટલા દોષિ લાંચ લેનારા અધિકારી છે તેટલા દોષિ લાંચ આપનાર વ્યક્તિ પણ છે! 

પોલીસને પણ પોલીસ અધિકારીઓનો ડર હોય છે જે પ્રામાણિક પણે કાર્ય કરે છે. જ્યારે ઝાડ પર વર્દી લટકાવીને કોઈ પોલીસકર્મી જતો રહે છે ત્યારે તેને પણ એજ પોલીસ વિભાગનો ડર હોય છે. આપણે જ્યારે લાંચ લેતા અધિકારીને કહીએ છીએ કે તે લાંચિયો છે તો લાંચ આપનારા પણ એ જ ક્ષેણીમાં આવી જાય છે. તમે સામાન્ય માણસ છો અને તે સરકારી કર્મચારી એટલે તમે દોષિ ના ગણાવ તે ખોટું છે. જો આપણે સરકારી કર્મચારીને લાંચિયો કહીએ છીએ તો લાંચ આપનાર વ્યક્તિ પણ એટલો જ ગુન્હેગાર છે.


1064 પર ફોન કરી લાંચ લેતા અધિકારી વિરૂદ્ધ કરી શકાય છે ફરિયાદ!

જો તમને કોઈ લાંચ લેતા પકડાય અથવા તો લાંચની માગણી કરે તો તમે એસીબીને સંપર્ક કરી શકો છે. કોઈ સરકારી અધિકારી સામાન્ય માણસ પાસેથી લાંચ માટે પૈસા માગે છે તો પૈસા આપવાની બદલીમાં 1064 પર કોલ કરી તેના વિરૂદ્ધ ફરિયાદ કરી શકીએ છીએ. તે ઉપરાંત 90999 11055 નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે. બદનસીબીએ છે કે આપણે માત્ર ફરિયાદો કરવા ટેવાયેલા છે. અપેક્ષા એટલી જ જ્યારે ફરિયાદ કરવા માટે સામાન્ય માણસ ફોન કરે તો તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવે. કારણ કે ઘણી વખત ત્યાં કરવામાં આવતા વ્યવહાર પણ અનેક સવાલો ઉભા કરતા હોય છે.    



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.