જો લોકો કહેશે તો હું કેસ છોડી દઈશ પણ પછી શું? જાણો કોર્ટ રૂમની બહાર શું કહ્યું તથ્યના વકીલે?


  • Published By :
  • Published Date : 2023-07-22 15:18:21

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો જેને લઈ ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો હતો. એક્સિડન્ટ મુદ્દે જ્યારે પિતાને જાણ થઈ ત્યારે તે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા અને તથ્યને પોતાની સાથે લઈ ગયા. બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલ તેમજ તેના વકીલની પ્રતિક્રિયા સામે આવી હતી. જે રીતના તર્ક પિતા તેમજ વકીલ આપી રહ્યા હતા તે એકદમ નિંદનીય હતું. કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે તે પહેલા જ તથ્યને પિતાએ અને વકીલ નિશાર વૈદ્યે તેને નિર્દોષ જાહેર કરી દીધા હતા. લોકોમાં પિતા પ્રત્યે તેમજ વકીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. વકીલની ટીકાઓ તેમજ ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું.

કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા પિતા-પુત્રને 

તમને યાદ હશે નકલી પીએમઓ બની લોકો તેમજ અધિકારીઓને મુર્ખ બનાવનાર કિરણ પટેલની કહાની વિશે. પીએમઓ અધિકારી બની લોકોને જે રીતના મુર્ખ બનાવ્યા તે કેસ જેણે લડ્યો હતો તે જ વકીલ તથ્ય પટેલનો કેસ લડી રહ્યા છે. ગઈકાલે કોર્ટ સમક્ષ તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો છે. તપાસ દરમિયાન અનેક વસ્તુઓ બહાર આવી શકે છે. 


કેસને લઈ તથ્ય પટેલના વકીલે કહી આ વાત

આ બધા વચ્ચે મુખ્યત્વે દરેક જગ્યાએ વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. કોર્ટ સમક્ષ અનેક તર્ક વિતર્ક રજૂ કર્યા હતા ઓછી રિમાન્ડ આપવામાં આવે તેવી રજૂઆત તથ્યના વકીલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોર્ટની બહાર આવીને જે નિવેદન વકીલ વૈદ્યએ આપ્યું હતું તે એકદમ ચોકાંવનારૂં હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે બધાએ તેમને નિર્દય માણસની જેમ ચીતર્યો છે પરંતુ હું નિર્દયી નથી. તમે બધા મને કહેતા હોઉ, મારા ભારતની પ્રજા એવું કહેશે કે હું તથ્યનો કેસ છોડી દઈશ, તો હું છોડી દઈશ. મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવશે. જે કામ હું કરી રહ્યો છું તે કામ તે કરશે. જો કોઈનું દિલ દુખાયું હોય તો હું તેમની માફી માગું છું..    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!