હાર્દિક પટેલ જો MLA બનશે તો પોતાનો પગાર વાપરશે કયા કામમાં !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 19:01:24

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે  ત્યારે ભાજપએ પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલે મહત્વની જાહેર કરી છે.હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી જીતશે તો પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર સેવા કાર્યમાં વાપરવાનો નિર્ણય કર્યો છે.  આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા મારફતે કરી છે.


શું લખ્યું પોસ્ટમાં ?


હાર્દિક પટેલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે , હું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના 39- વિરમગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વચન આપું છું કે વિરમગામ4 મંડળ અને દેત્રોજની જનતા મને આશીર્વાદ આપીને જિતડશે તે બાદ ધારાસભ્ય તરીકે આવતો તમામ પાર વિરમગામ, મંડળ અને દેત્રોજની પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત મહિલા છાત્રાલયો, શિક્ષણ અને સામાજિક સેવા પાછળ ખર્ચ કરીશ.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.