12 વાગ્યા પછી જો ગરબા ચાલશે અને કોઈની ફરિયાદ આવશે તો પોલીસે કરવી પડશે કાર્યવાહી, હાઈકોર્ટનો આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-18 16:25:19

ગુજરાતમાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. અને નવરાત્રીની ઉજવણી થતી હોય ત્યારે તો વાત જ અલગ હોય છે. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પોલીસ 12 વાગ્યે આવીને ગરબા બંધ નહીં કરાવે તેવી જાહેરાત કરાતા ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. આ જાહેરાત થયાના બીજા દિવસે જ આ મામલે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે કોઈ ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.  પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. 

gujarat highcourt to consider pil of gujarati language in court proceedings  - ગુજરાત હાઇકોર્ટ કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાના ઉપયોગ મુદ્દે આપશે  ચુકાદો – News18 Gujarati

12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ રમી શકે છે ગરબા - હર્ષ સંઘવી 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. ગરબાને લઈ અનેરો ઉત્સાહ ગરબા ચાહકોમાં જોવા મળતો હોય છે. ગુજરાતમાં પહેલા બાર વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવતી હતી. 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી. પરંતુ ખેલૈયાઓમાં આનંદમાં, ખેલૈયાઓના ઉત્સાહમાં ત્યારે વધારો થયો જ્યારે હર્ષ સંઘવીએ મૌખિક રીતે જાહેરાત કરી હતી કે 12 વાગે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.     

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

harsh sanghvi pc on drugs network - હર્ષ સંઘવીની ડ્રગ્સ મામલે પ્રેસ  કોન્ફરન્સ – News18 Gujarati

જો કોઈ ફરિયાદ થશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે - હાઈકોર્ટ    

ગરબા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે હર્ષ સંઘવીની જાહેરાત બાદ સ્થાનિકો હાઈકોર્ટ પહોંચ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.