રાજ્યમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા મુદ્દે ઈડરના MLA રમણલાલ વોરાએ CMને લખ્યો પત્ર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:25

ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવાનો મામલો હવે સમાજીક અને રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો છે. હવે આ મામલે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બે મંત્રીઓને આ પત્ર લખ્યો છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બાનુબેન બાબરીયાને પત્ર લખવામાં આવ્યો છે.  લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ધારાસભ્ય રમણલાલ વોરાએ તેમના આ પત્રમાં લગ્ન નોંધાણીમાં વાલીની સહી ફરજિયાત કરવા માટેની માગણી કરી છે.   

 

શું લખ્યું છે પત્રમાં?


ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ તેમના દ્વારા સીએમને લખવામાં આવેલા આ પત્રમાં લખ્યું કે, ઘણા સમયથી ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે. લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે. એમાં જ્યારે ગેરરીતી કે અન્યાય થતો હોય ત્યારે દિકરી અને પરિવારો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ - 2006 કાયદામાં કેટલાલ સંબંધિત સુધારાઓ લાવી આવા પરિવારોને ન્યાય અપાવવા માટે આપશ્રીને વિનંતી છે. આ અંગે નીચે મુજબના સુધારા કરવા જરુરી જણાય છે.  જેમ કે (1)લગ્ન નોંધણી કરાવવાનું સ્થળ જે તે વિસ્તારથી ગ્રામ કે શહેરની દિકરી હોય તે સ્થળે લગ્ન નોંધણીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરવું. (2) આ અંગેના દસ્તાવેજો રજૂ કરેલા હોય તેનું વેરીફીકેશન જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરાવવું જોઈએ. (3) લગ્ન નોંધણી ગ્રામ કે શહેર કક્ષાએ પ્રમાણપત્ર ઈસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત અધિકારીક્ષીને સોંપવી જોઈએ. (4) લગ્ન નોંધણી રજીસ્ટરમાં વાલીની સહી ફરજીયાત કરવામાં આવે. 


SPGએ પણ અભિયાન શરૂ કર્યું છે


યુવતીઓના લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે SPGએ અભિયાન શરૂ કર્યું છે. આ માટે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જે પહેલાં રાજકીય અને પછી કાયદાકીય કવાયત હાથ ધરશે. શું છે આ માટે સરદાર પટેલ ગ્રુપની યોજના. માતાપિતાની મરજી વિરુદ્ધ યુવતીઓના પ્રેમલગ્ન અને લવ જેહાદ જેવા કિસ્સાઓને જોતાં પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી ચિંતિત છે. પાટીદાર સમાજની સંસ્થાઓમાં આ માટે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. સરકાર સમક્ષ માગ પણ કરાઈ છે. માતાપિતાની મરજી વિરુદ્ધ યુવતીઓના પ્રેમલગ્ન અને લવ જેહાદ જેવા કિસ્સાઓને જોતાં પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી ચિંતિત છે. પાટીદાર સમાજની સંસ્થાઓમાં આ માટે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. સરકાર સમક્ષ માગ પણ કરાઈ છે. SPGએ સરકાર સમક્ષ ચાર માંગો કરી છે, તેમાં દીકરીના લગ્નની નોંધણી વતનમાં જ કરવાની, લગ્નની નોંધણી કલેક્ટર કે મામલતદારના વેરિફિકેશન બાદ જ કરવાની, લગ્નની નોંધણી વખતે દસ્તાવેજની ચકાસણી પોલીસના માધ્યમથી કરાવવાની અને લગ્ન નોંધણી વખતે માતાપિતાની સહી ફરજિયાત કરવાનો સમાવેશ થાય છે. આ તમામ માગણીઓ એવા લગ્નોને જોતાં કરાઈ છે, જે માતાપિતાની મરજી વિરુદ્ધ કરવામાં આવે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!