ICC WC 2023 : 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ, અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચમાં થઈ શકે છે બદલાવ


  • Published By :
  • Published Date : 2023-07-26 13:51:18

ICCએ હમણાં થોડા દિવસ પહેલા જ આગામી વન-ડે વિશ્વકપને લઈને સંપૂર્ણ શિડ્યલ જાહેર કર્યુ હતું, જેમાં ભારત-પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 15 ઓક્ટોબરના રોજ રમાવાનો હતો, પરંતુ એ દિવસે નવરાત્રિનો પહેલો દિવસ હોવાને કારણે એ મેચ રીશિડ્યુલ થઈ શકે છે. જોકે BCCIએ આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આગામી 27મી જુલાઈના રોજ BCCIના સચીવ જય શાહ એક બેઠક યોજશે અને તેમાં એ મુદ્દે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. 



15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ


BCCIના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં નવરાત્રિનો જબરજસ્ત ઉત્સાહ હોય છે તેથી ઘણી સુરક્ષા એજન્સીઓએ BCCIને સૂચિત કર્યુ છે કે 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હોવાને કારણે અમદાવાદમાં રમાવનારી ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ કરવામાં આવે.જેને કારણે BCCI ટૂંક સમયમાં નિર્ણય લેશે.


મેચ રીશિડ્યલ થશે તો ચાહકોને ભારે હાલાકી 


જો BCCI 15 ઓક્ટોબરે થનારી ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ થશે તો ચાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, કેમ કે જેવું ICCએ શિડ્યુલ જાહેર કર્યુ હતું તેવું તરત જ ચાહકોએ મોટાભાગની હોટલ્સના રુમ બુક કરી દીધા હતા. મોટાભાગના ચાહકોએ એક લાખ રુપિયા ઉપરના રુમ પણ બુક કરી દીધા હતા, જેને કારણે જો મેચ રીશિડ્યુલ થશે તો ચાહકોને મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ચાહકોએ તો હોટલ્સના રુમ ન મળતા ફુલ બોડી ચેક-અપના બહાને હોસ્પિટલના બેડ્સ પણ બુક કર્યા છે, એટલે જો કદાચ ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ થશે તો ફેન્સને મુશ્કેલી પડશે એ ચોક્કસ છે. 


ફાઈનલ તો અમદાવાદમાં જ રમાશે


આ સિવાય જો વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. વિશ્વકપની ફાઈનલ 19મી નવેમ્બર અને રવિવારના રોજ  અમદાવાદ ખાતે રમાશે, આ મેચને લઈને કોઈ પણ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત્ છે. તેથી, માત્ર અમદાવાદમાં રમનારી ભારત પાકિસ્તાન મેચમાં ફેરફાર થઈ શકે છે, બાકીની કોઈ પણ મેચમાં ફેરફાર થશે નહીં તે નક્કી છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.