પૂર્વ IAS પ્રદીપ શર્માની ભુજ CID ક્રાઈમે અમદાવાદથી કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-03-05 18:21:40

પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં ધરપકડ કરી છે. ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરતા હડકંપ મચી ગયો છે. પ્રદીપ શર્મા ઉપરાંત પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા,પૂર્વ નાયબ કલેકટર ફ્રાંસીશ સુવેરા તેમજ પૂર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.  CID ક્રાઈમના જણાવ્યા પ્રમાણે વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને કોર્ટમાં રજૂ કરાશે. 


સમગ્ર મામલો શું છે?


પ્રદીપ શર્મા 2004માં કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમની સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ સરકારી નિયમનો ભંગ કરીને ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. કંપનીની આ સેવાના બદલામાં શર્મા અને તેમની પત્નીને હવાલા મારફતે નાણા મળ્યા હતા. જો કે પ્રદીપ શર્મા આ રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું અને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.