સસ્પેન્ડ કરાયેલા IAS અધિકારી ગૌરવ દહિયાની વહીવટમાં વાપસી, રાજ્ય સરકારે સોંપી આ મહત્વની જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-07-04 16:09:21

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. રાજ્ય સરકારે  ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. સામાન્ય વહીવટના એડિશનલ સેક્રેટરી એ કે રાકેશ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગઈકાલે 3 જુલાઈએ સરકારે ડો. ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. હાલ એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા બી રાઠોડને તેમની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે IAS ગૌરવ દહિયા સામે એક મહિલાએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે તપાસ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા હતા.

શા માટે સસ્પેન્ડ કરાયા હતા?


ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી દિલ્હીની એક ફ્રેન્ડ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમપ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને લિનુ સિંહને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા.  


IAS ગૌરવ દહિયાના પ્રેમપ્રકરણનો કેસ હાઈ પ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી તત્કાલિન રૂપાણી સરકાર પર પણ તપાસનું દબાણ વધ્યું હતું. અંતે આ કેસ અંગે CM રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં પીડિતાએ પોતાના નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોંપ્યો હતો, ત્યાર બાદ તપાસ સમિતીના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.