ભડકેલી હિંસા વચ્ચે I.N.D.I.Aના સાંસદો પહોંચ્યા મણિપુર, રાહત શિબિરોની લીધી મુલાકાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-29 15:18:32

મહિનાઓ વિત્યા છતાંય મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે, ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી અને તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘણી જૂની હતી પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ સમાચાર મણિપુર સુધી સિમીત રહી હતી. પરંતુ ઈન્ટરનેટ સેવા શરૂ થતાં વીડિયો વાયરલ થયો. લોકોમાં વીડિયોને જોઈ ભારે રોષ હતો અને તે લોકો અધર્મી લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. આ મામલે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલાની તપાસ પોલીસ નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. 

INDIA  ગઠબંધનના સાંસદો પહોંચ્યા મણિપુર

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે, જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરની મુલાકાત રાહુલ ગાંધીએ લીધી હતી. રાહતશિબિરોમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમની આપવીતિ જાણી હતી. ત્યારે INDIA  ગઠબંધનના 21 જેટલા સાંસદો બે દિવસ માટે મણિપુરની મુલાકાતે પહોંચ્યા છે. 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર પહોંચ્યું છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું છે. 

પીએમ મોદી મણિપુર મુદ્દે નિવેદન આપે તેવી વિપક્ષી નેતાઓની માગ

મહત્વનું છે કે જ્યારે જ્યારે કેન્દ્રીય નેતાઓને મણિપુર વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે તેઓ છત્તીસગઢ, રાજસ્થાન પર પ્રશ્ન પૂછે છે. સંસદમાં સત્રની શરૂઆત થાય તે પહેલા પીએમ મોદીએ મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો વિશે પોતાનું નિવેદન આપ્યું હતું, તે દરમિયાન પણ તેમણે બીજા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ સંસદમાં મણિપુર વિશે ઓછું અને રાજસ્થાન, છત્તીસગઢની વાતો વધારે કરી હતી. શું નેતાઓ રાજ્ય સરકાર કોની છે તેનાથી પર થઈ ક્યારે વિચારશે? પીએમ મોદી મણિપુર મામલે કોઈ એક્શન લે તેમજ કોઈ નિવેદન આપે તેવી રાજકીય પાર્ટીઓની માગ છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.