મારી અને સમાજની ઈચ્છા છે કે અમારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બનેઃ અલ્પેશ ઠાકોર


  • Published By :
  • Published Date : 2022-11-08 21:34:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોરે આજના દિવસે મુખ્યમંત્રી પદ મામલે મોટું નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે મારી અને ઠાકોર સમાજની ઈચ્છા છે કે ગુજરાતનો મુખ્યમંત્રી અમારા સમાજમાંથી બને. 


પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશઃ અલ્પેશ ઠાકોર 

આજના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું. અલ્પેશ ઠાકોરને આ કાર્યક્રમમાં આમંત્રણ હતું. તેઓએ કાર્યક્રમાં પધારી અને મોટી માગ પોતાની પાર્ટી સમક્ષ મૂકી દીધી હતી. તેમણે સભામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે ઠાકોર સમાજમાંથી આ વખતે મુખ્યમંત્રી બને. તમામ લોકોએ પોતાની લાગણી મૂકવાનો અધિકાર હોય છે. કારણ કે મુખ્યમંત્રીને ધારાસભ્યોએ પસંદ કરવાનો હોય છે. આથી તમામ પક્ષો પોતાની લાગણી મૂકી શકે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પાર્ટી કહેશે ત્યાંથી હું ચૂંટણી લડીશ. પાર્ટીનો નિર્ણય મારા માટે શીરોમાન્ય હશે. પોતાની ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે. 


અગાઉ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર પણ દાવેદારી માટે માગ કરી ચૂક્યા છે પરંતુ, તેમના જ સમાજના ઉમેદવારે બળવો પોકારી અલ્પેશ ઠાકોરને ચૂપ કરાવી દીધા હતા. હવે ભાજપના આયાતી નેતા તેમનો પક્ષ કઈ જગ્યાથી ચૂંટણી લડાવશે તે જોવાનું રહેશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.