મતદારોને જાગૃત કરવા ગુજરાતમાં ચાલી રહ્યું છે "હું મતદાર છું' અવેરનેસ પ્રોગ્રામ


  • Published By :
  • Published Date : 2022-11-13 15:22:56

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદારોમાં મતદાનને લઈ જાગૃતિ આવે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે સેલ્ફી બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી યુવા મતદારોને આકર્ષવા અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 જેટલા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

વોટિંગ અવેરનેસ કેમ્પઈન દ્વારા મતદારોને કરાશે જાગૃત

ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ ગણવામાં આવે છે. મતાધિકારોનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે આગામી સપ્તાહમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી વોટિંગ અવેરનેસ કેમ્પઈન ચલાવવામાં આવશે. આ મતદાનમાં યુવાનો પણ ઉત્સાહ સાથે ભાગ લે તે માટે સેલ્ફીનો સહારો લેવવામાં આવી રહ્યો છે. 52 જેટલા બુથ પર સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈ આપણે ત્યાં જોઈએ એટલી જાગૃતતા નથી. આપણે આપણા મતની કિંમત નથી જાણતા. અનેક લોકો એવું માને છે કે મારા વોટથી કંઈ ફરક નથી પડવાનો પરંતુ મતદાનમાં એક વોટની પણ કિંમત હોય છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

મતદારોમાં મતદાન દિવસને માત્ર રજાની જેમ ન લે તે માટે મતદારોને જાગૃત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મતદારોની જાગૃતિ માટે નાટક પણ યુવાઓ દ્વારા ભજવવામાં આવશે. ત્યારે સેલ્ફી પોઈન્ટને કારણે યુવાઓ મતદાન માટે આકર્ષાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ પર્વ પાંચ વર્ષ બાદ આવે છે.                 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.