સટ્ટાખોરીના રવાડે ચડેલા પતિએ પત્નીને જ દાવ પર લગાડી.. મહાભારતકાળની યાદ અપાવતો કિસ્સો વાંચીને આશ્ચર્ય થશે!


  • Published By :
  • Published Date : 2023-05-31 20:35:30

કળિયુગના આ સમયમાં પ્રેમ, લાગણી અને માનવીય મૂલ્યોનું જે પ્રકારે ધોવાણ થઇ રહ્યું છે તેને લઇને અનેક વિચારો આવે કે આપણે પતનની આટલી ઉંડી ગર્તામાં કઇરીતે ધકેલાઇ ગયા? માણસ જ માણસનો કાળ બનીને તેને ભરખી જશે તો પછી દુનિયામાં કોને માટે જીવવું?

ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરવી છે.. અમદાવાદની એક ઘટનાની જેેણે મહાભારત કાળની યાદ અપાવી દીધી..  એક પતિએ તેની પત્નીને દ્રૌપદી બનાવી દીધી અને પત્નીને જ દાવ પર લગાવી પૈસા કમાવ્યા..

આ વાત છે ઉત્તરપ્રદેશની એક યુવતીની જે પોતાના પરિવાર સાથે મુંબઇ રહેતી હતી..એક દિવસ તેનો પરિચય એક યુવક  સાથે થાય છે જે તેને બિઝનેશમેન હોવાની ઓળખ આપે છે..અને કહે છે કે હું મારા કામને લીધે હાલ મુંબઇ છું.. બંનેની મુલાકાતો વધતી જાય છે..  અને મુલાકાતો પ્રેમમાં પરિણમે છે.. આ યુવકે પોતાનું નામ રાકેશ હોવાનું જણાવ્યું.. 

રાકેશ આ યુવતીને કહેતો હતો કે મારો ખૂબ જ મોટો બિઝનેસ છે, મારી પાસે પૈસો, કારકિર્દી બધુ જ  છે પણ એવું કોઇ છે નહિ કે જેની સાથે હું આ બધું શેર કરી શકું.. મને એવા કોઇ સાથીની તલાશ છે કે જે મને સાચવે મારી કેર કરે,, બસ આ પ્રકારની ઇમોશનલ વાતો તેણે આ યુવતી સાથે કરી તેને ભોળવી.. તે પછી આ યુવતી અને રાકેશ બંને 2 વર્ષ લગ્ન વગર અમદાવાદમાં સાથે રહ્યા.. અને  તે પછી બંને એ લગ્ન કર્યા. લગ્ન બાદ તેમને ત્યાં એક દીકરીનો પણ જન્મ થયો હતો. અમુક સમય વીતતાં આ યુવતી ની આંખો ખૂલી ને તેને ખ્યાલ આવ્યો કે રાકેશ કોઈ વેપારી નહીં, પણ સટ્ટાબાજ છે અને તે સટ્ટામાં લાખો રૂપિયા દાવ પર લગાવે છે.

રાકેશને આ સટ્ટાનો ખેલ બંધ કરાવવા માટે માયા અવારનવાર તેની સાથે ઝઘડતી. તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતી તો રાકેશ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો. એક દિવસ રાજીવ સટ્ટાની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવ પર લગાવવા માટે કશું જ વધ્યું ન હતું એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેની માથે દેવું થઈ ગયું ત્યારે તેણે યુવતીને કહ્યું, તારે મારું દેવું ભરવા માટે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે. યુવતીએ પોતાના પતિની આ અનૈતિક માગ સામે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પણ માયા ના પાડે તો રાકેશ તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો એટલે મજબૂરીમાં તેણે પોતાનું શરીર વેચવું પડ્યું અને એ રૂપિયા રાકેશને આપતી હતી. આ રૂપિયા રાકેશ મોજમજા કરવા માટે વાપરતો હતો. યુવતી આ બધામાંથી બહાર નીકળવા માગતી હતી એટલે હવે તેણે રાકેશને સ્પષ્ટપણે ના પાડી દીધી કે હવે તે તેના માટે કોઈ સાથે નહિ સૂવે. રાકેશ આ વાત સાંભળીને ક્રોધે ભરાઈને યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. પોતાના મિત્રની મદદથી માયા અલગ રહેવા લાગી અને સટ્ટાબાજ પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે માયા સતત પ્રયાસ કરતી હતી પણ રાકેશ તેને કોઈપણ સંજોગે દીકરી આપવા તૈયાર નહોતો. આખરે રાકેશના મિત્રો પણ માયાને ધમકી આપવા લાગ્યા અને કહ્યું કે તે પાછી આવી જાય અને રાકેશ જેમ કહે છે તેમ કરે. આ ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.. 

પતિ પત્નીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય  અને હૈયું હચમચી જાય તેવી આ ઘટના છે અને આ પ્રકારની જ ઘટનાઓ લોકોમાં એક અસુરક્ષાનું, એક અસલામતિનું વાતાવરણ જન્માવે છે.. આ પ્રકારની ઘટનાઓને લીધે એવા શબ્દો સંભળાય કે લ્યો લવ મેરેજ કર્યા એટલે આ પરિણામ આવ્યું, પણ શું એરેન્જ હોત  તો આ યુવતી સલામત  હોત? એટલે પ્રશ્ન લવ મેરેજ કે એરેન્જ મેરેજ નથી પણ માણસના મૂલ્યોનો છે.. પણ અત્યારના સમયમાં મૂલ્યો એટલા મહત્વના નથી રહ્યા .. અત્યારે લાગણી મહત્વની નથી, પ્રેમ કે સન્માન મહત્વનું નથી.. અતયારે બોલબાલા છે ફક્ત જૂઠની, સ્વાર્થની, મોહની, વાસનાની.. અત્યારના લોકો અંધ છે.. કલ્પના પણ ન કરી હોય એવા કૃત્યો લોકો આચરતા થઇ ગયા છે.. અને હવે સૌ કોઇ એક  જ વાત વિચારે છે.. કે આવનારો સમય કેવા કેવા દિવસો બતાવશે..



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!