અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું વિનાસક 'ઈયાન' વાવાઝોડુ, 47 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:37:38

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાવાઝોડા 'ઈયાન'ને કારણે મોટાપાયે વિનાશ થયો છે. 'ઈયાન' વાવાઝોડાથી અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્લોરિડા રાજ્યના ડોકટરોની ટીમ દ્વારા મૃત્યુઆંક એકત્રિત કરવામાં આવ્યો છે. મૃતકોનો ડેટા રાખતી ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર, ચક્રવાત પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકોના મોત થયા છે.


1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું


શક્તિશાળી તોફાને પશ્ચિમી ક્યુબા, ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં સૌથી વધુ તબાહી મચાવી છે. યુએસ નેશનલ ગાર્ડના ચીફ જનરલ ડેનિયલ હોંકસને જણાવ્યું કે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ કિનારેથી 1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીમાં પૂરના કારણે બચાવ કામગીરી અને પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. મિયાક્કા નદીમાં પૂરને કારણે આંતર રાજ્ય માર્ગ નંબર 75 ના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા, જેના કારણે શનિવારે રોડ પરનો ટ્રાફિક રોકવાની ફરજ પડી હતી.અમેરિકાના પ્રમુખ બાઈડનના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડામાં ત્રાટકેલું અત્યાર સુધીનું આ સૌથી વિનાસક વાવાઝોડું છે. હાલ રાજ્યમાં 2,80,000 ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે. 


પીએમ મોદીએ પણ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અમેરિકાના વિનાશક વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડન પ્રત્યે પીએમ મોદીએ ઉંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.