Bharuch Loksabha બેઠક BJP કઈ રીતે જીતશે?, Mansukh Vasavaનો હુંકાર! સાંભળો મનસુખ વસાવાને...


  • Published By :
  • Published Date : 2024-01-24 14:04:17

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહે છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પરમદિવસે શરતના આધાર પર ચૈતર વસાવાને જામીન મળ્યા હતા પરંતુ ગઈકાલે એવી વાત સામે આવી હતી તે ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. આ બધા વચ્ચે ભરૂચ લોકસભા બેઠકને  લઈ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ભરૂચમાં ભાજપની જીત થશે તેવો આશાવાદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે. ભરૂચ બેઠક પર ભાજપનો જ ઉમેદવાર વિજયી થશે.

લોકસભા ચૂંટણી પહેલા ગરમાયું ભરૂચનું રાજકારણ!

મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો મુદ્દો અનેક વખત સામે આવતો રહે છે. શાબ્દિક પ્રહારો કરવામાં આવે છે જેને લઈ ચર્ચાઓ થતી રહી છે. અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તે બાદ રાજકારણ ગરમાયું છે. અહમદ પટેલના પુત્રે  પોસ્ટર લગાવ્યા છે જેને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. તે ઉપરાંત થોડા દિવસ પહેલા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી.


ભરૂચ લોકસભા બેઠકને લઈ મનસુખ વસાવાએ કહી આ વાત!

ભરૂચ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે ભાજપના ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરીથી એક વખત ભાજપ ભરૂચ લોકસભા બેઠક પર જીતશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા અનેક ટર્મથી ભાજપના સાંસદ તરીકે મનસુખ વસાવા ચૂંટાયા છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.