Bharuch Loksabha બેઠક BJP કઈ રીતે જીતશે?, Mansukh Vasavaનો હુંકાર! સાંભળો મનસુખ વસાવાને...


  • Published By :
  • Published Date : 2024-01-24 14:04:17

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહે છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પરમદિવસે શરતના આધાર પર ચૈતર વસાવાને જામીન મળ્યા હતા પરંતુ ગઈકાલે એવી વાત સામે આવી હતી તે ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. આ બધા વચ્ચે ભરૂચ લોકસભા બેઠકને  લઈ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ભરૂચમાં ભાજપની જીત થશે તેવો આશાવાદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે. ભરૂચ બેઠક પર ભાજપનો જ ઉમેદવાર વિજયી થશે.

લોકસભા ચૂંટણી પહેલા ગરમાયું ભરૂચનું રાજકારણ!

મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો મુદ્દો અનેક વખત સામે આવતો રહે છે. શાબ્દિક પ્રહારો કરવામાં આવે છે જેને લઈ ચર્ચાઓ થતી રહી છે. અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તે બાદ રાજકારણ ગરમાયું છે. અહમદ પટેલના પુત્રે  પોસ્ટર લગાવ્યા છે જેને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. તે ઉપરાંત થોડા દિવસ પહેલા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી.


ભરૂચ લોકસભા બેઠકને લઈ મનસુખ વસાવાએ કહી આ વાત!

ભરૂચ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે ભાજપના ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરીથી એક વખત ભાજપ ભરૂચ લોકસભા બેઠક પર જીતશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા અનેક ટર્મથી ભાજપના સાંસદ તરીકે મનસુખ વસાવા ચૂંટાયા છે.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!