શું તમારી ફાટેલી નોટ કોઈ નથી લેતું? જાણો કેવી રીતે બેંકથી બદલી શકાશે..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:46:17

આપણા બધા પાસે ફાટેલી, જૂની અને ટેપ મારેલી નોટો પણ હશે કારણ કે આપણને ખબર નથી કે આ પૈસા કોણ બદલી આપશે. જમાવટના આ આર્ટિકલમાં તમે બધું સમજી શકશો કે કેવી રીતે આપણે જૂની કે પછી ફાટેલી નોટો માટેનો શું નિયમ છે?  આ નિયમો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જ નક્કી કરે છે. તો ચાલો જાણી લઈએ નિયમો. 


કઈ બેંક બદલી આપે છે ફાટેલી તૂટેલી નોટ?


દરેક બેન્કની દરેક બ્રાન્ચે આપણને ફાટેલી નોટ બદલવા માટે સુવિધા આપવામાં આવી છે. કોઈ પણ બેન્ક આપણને જૂની નોટો બદલી આપે પણ કેટલી નોટ બદલાવી શકાતી નથી. કારણ કે નોટ બદલી આપવાની પણ એક લિમિટ છે. RBIનો નિયમ છે કે જે નોટ બદલવાની છે તે માત્ર એક નહીં પરંતુ 20 હોવી જોઈએ. જ્યારે તમારી પાસે 20 ફાટેલી નોટ હશે ત્યારે જ તમે નોટ બદલાવી શકશો. અન્ય નિયમ એવો છે કે જો ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાના બંડલમાં કોઈ એક નોટ ફાટેલી હોવી જોઈએ. જો આ લિમિટ કરતાં વધારે નોટ અથવા પૈસા હોય તો બેન્ક તમને એક રિસીપ્ટ આપશે અને થોડા દિવસો પછી તમારા ખાતામાં તે પૈસા ક્રેડિટ થઈ જશે. જો 20 નોટ અથવા 5 હજાર રૂપિયા કરતાં વધારે રૂપિયા તમારે બદલવા છે તો બેન્ક તમારી પાસેથી ચાર્જ પણ લઈ શકે છે. 


કઈ નોટ બેંક નહીં બદલી આપે? 


1. સોઈલ્ડ નોટ્સ અને 2. મ્યુટિલેટેડ નોટ્સ બેંક બદલી આપશે. 


સોઈલ્ડ નોટ એટલે જૂની, ફાટેલી, કાણા  પડી ગયેલી અથવા ઘસાઈ ગયેલી નોટ, જેના ટુકડા થઈ ગયા હોય પણ બે જ ટુકડા હોવા જોઈએ. આ બંને ટુકડા એક જ નોટના હોવા જોઈએ. આવી નોટો બેન્ક બદલી આપે છે. દરેક નોટ પર સિક્યોરીટી ફીચર્સ હોવા જરૂરી હોય છે. 


મ્યુટિલેટેડ નોટ એટલે કે એવી નોટ કે જેનો કોઈ હિસ્સો જ મિસિંગ હોય અથવા એવી નોટ જેનાં બે કરતાં વધારે ટુકડા થઈ ગયા હોય. આવી નોટ જો આપણે બદલાવવા જઈએ

જો 50 રૂપિયા કરતાં વધારે રકમની નોટ બદલવી હોય, તો સૌથી મોટો ટુકડો 80% અથવા વધારે સાઇઝનો હોવો જોઈએ. જો નોટનો સૌથી મોટો ટુકડો 40 થી 80 ટકાની વચ્ચે તૂટેલો છે, તો આપણને 50 ટકા રૂપિયા જ પાછા મળી શકશે. જો સૌથી મોટો ટુકડો 40 ટકા કરતાં ઓછી સાઇઝનો છે તો આપણને એકપણ રૂપિયો પાછો નહીં મળે.


કેવી નોટો બેંક નહીં બદલી આપે? 

ખૂબ જ બળેલી નોટો, અડવાથી જ તૂટી જાય એવી નોટો, એકબીજા સાથે ચોંટી ગયેલ નોટ બેંક બદલી નહીં આપે. આવી નોટ માટે એક અલગ પ્રક્રિયા કરવી પડે છે, જે બધી બેન્ક નથી કરી શકતી. આવી નોટો બદલવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈશ્યૂ ઓફિસમા જવાનું રહે છે.


તો જો તમારી પાસે પણ છે ફાટેલી તૂટેલી પૈસાની નોટો તો આજે જ બેંકમાં જાઓ અને તમારી ખરાબ નોટ જમા કરવી નવી નોટ લઈ આવો. આવીજ રસપ્રદ માહિતી મેળવવા માટે જમાવટ સાથે જોડાયેલા રહો



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.