રામ મંદિરથી UP સરકારને દર વર્ષે કેટલી કમાણી થશે? SBI રિસર્ચના રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:41:32

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સોમવારે 22 જાન્યુઆરીના રોજ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારને જબરદસ્ત આર્થિક ફાયદો થશે  તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. SBI રિસર્ચના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારના બજેટ મુજબ નાણાકિય વર્ષ 2024માં તેમની ટેક્સ રેવન્યુ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. SBI રિસર્ચના જણાવ્યા મુજબ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં ટૂરિસ્ટ સ્પેન્ડિગ એટલે કે પર્યટકો દ્વારા કરવામાં આવતો ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે.


ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડે પહોંચશે


SBI રિસર્ચના રિપોર્ટ મુજબ વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિકોએ 2.2 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો, જ્યારે વિદેશી પર્યટકોએ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વર્ષ 2022માં 32 કરોડ જેટલા સ્થાનિક પર્યટકો ઉત્તર પ્રદેશ આવ્યા હતા. જે તેના આગલા વર્ષની તુલનામાં લગભગ 200 ટકા વધુ છે. રામ મંદિરના ઉદઘાટન બાદ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ અયોધ્યા પહોચે તેવું અનુમાન છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.