ગુજરાત તથા દિલ્હીમાં કેટલી બેઠકો કોંગ્રેસ અને AAPના ફાળે જશે? જાણો સીટોની વહેંચણીનું લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2024-02-22 14:26:20

લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલું છે. દિલ્હી અને ગુજરાતમાં સીટોની વહેંચણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે તે અંગે બંને પાર્ટીના નેતાઓ મક્કમ છે. હવે કઈ સીટ પર સમજુતી સધાય છે તેને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


ગુજરાતની આ બે સીટો AAPના ફાળે


લોકસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે તે પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શકયતા જોવા મળી રહી છે.  ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકક્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ ભરૂચના આદીવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા જોતા આ સીટ આપવા તૈયાર થઈ શકે છે.  આ માટે કોંગ્રેસ પાર્ટીને  મુમતાઝ એહમદ પટેલને મનાવવા પડશે. તે જ પ્રકારે  ભાવનગર લોકસભા બેઠક માટે AAPના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ ભાવનગર સીટ પણ આપને આપવા માટે કદાચ રાજી થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. 


દિલ્હીમાં શું છે તૈયારી?


દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો બેઠક વહેંચણી પર સહમત થયા છે. AAP 4 સીટો પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને પૂર્વ, ઉત્તર પૂર્વ અને ચાંદની ચોક બેઠકો આપી શકે છે. જ્યારે નવી દિલ્હી પોતે દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.