ગુજરાત તથા દિલ્હીમાં કેટલી બેઠકો કોંગ્રેસ અને AAPના ફાળે જશે? જાણો સીટોની વહેંચણીનું લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2024-02-22 14:26:20

લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી અંગે ચર્ચા ચાલું છે. દિલ્હી અને ગુજરાતમાં સીટોની વહેંચણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડશે તે અંગે બંને પાર્ટીના નેતાઓ મક્કમ છે. હવે કઈ સીટ પર સમજુતી સધાય છે તેને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


ગુજરાતની આ બે સીટો AAPના ફાળે


લોકસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે તે પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શકયતા જોવા મળી રહી છે.  ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકક્યું છે. કોંગ્રેસ પાર્ટી પણ ભરૂચના આદીવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા જોતા આ સીટ આપવા તૈયાર થઈ શકે છે.  આ માટે કોંગ્રેસ પાર્ટીને  મુમતાઝ એહમદ પટેલને મનાવવા પડશે. તે જ પ્રકારે  ભાવનગર લોકસભા બેઠક માટે AAPના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ ભાવનગર સીટ પણ આપને આપવા માટે કદાચ રાજી થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. 


દિલ્હીમાં શું છે તૈયારી?


દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો બેઠક વહેંચણી પર સહમત થયા છે. AAP 4 સીટો પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ ત્રણ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને પૂર્વ, ઉત્તર પૂર્વ અને ચાંદની ચોક બેઠકો આપી શકે છે. જ્યારે નવી દિલ્હી પોતે દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે