ગુજરાતના ખાડા ક્યાં સુધી રાહદારીનો જીવ લેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:39:44

ગુજરાતના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાની સાઈડમાં ગુજરાતના રસ્તાઓ બન્યા છે તે અમને નથી ખબર પણ ગઈકાલનો નવસારીનો બનાવ વાંચીને તમે રોષે ભરાઈ જશો. ગઈકાલે રાત્રે ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના ખાડાએ એક નિર્દોષ યુવાનનો જીવ લઈ લીધો છે. 


કેવી રીતે બની ઘટના?

એક યુવાન વલસાડથી ટુ વ્હીલ પર સવાર થઈને બહેનને મળવા જતો હતો. પરંતુ આ યુવાનને નહીં ખબર હોય કે ગુજરાતના ખાડા તેને તેની બહેનને નહીં મળી દે. નેશનલ હાઈવે પર જતા સમયે હોન્ડ વિસ્તાર નજીક ખાડામાં બાઈક આવી જતા યુવાને બાઈક પર કાબૂ ગુમાવ્યો હતો. ખાડાના કારણે બાઈક અચાનક ઉંચું થઈ નીચે પટકાયું હતું. જેના કારણે બાઈક પર બેઠેલો યુવાન ખાડા આગળની બાજુ રોડ પર પટકાયો હતો અને પટકાતા યુવાનનું મોત થઈ ગયું હતું. 


અંતે સ્થાનિકોને ખાડો પૂરવો પડ્યો 

દુઃખની વાત તો એ છે કે ખાડાના કારણે યુવાનનું મોત થઈ જાય છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે કોઈ કાર્યવાહી જ ના કરી. સ્થાનિક વિસ્તારના લોકોએ આ ઘટના બાદ ખાડો બૂર્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની આ લાપરવાહી નિંદનીય છે. ખાડાના કારણે એક નિર્દોષ યુવાનનું મોત થયું તે બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ મોડી રાત સુધી પહોંચી પણ નહોતી. 


આવા તો કેટલાય ખાડા હશે નેશનલ હાઈવે પર તો તેની જવાબદારી શું ત્યાંના નજીકના સ્થાનિકોની છે કે તે આવીને ખાડાઓ પૂરી જાય? નેશનલ હાઈવે બન્યા બાદ ઉઘરાણી માટે ટોલ ઉભા કરી દેવામાં આવે છે પણ ઘરમાં નાનું પોપડું પડે તો પણ તેના સમારકામ માટે આપણે તાત્કાલીક પગલા લેતા હોઈએ છીએ તો અહીં નેશનલ હાઈવે જે દેશની રાજધાની સુધી પહોંચે છે તેની કોઈ કામગીરી કેમ નથી કરવામાં આવતી? શું લોકોના જીવ જતા રહેશે પછી જ કોઈ કામગીરી થશે? લોકોના મોત થાય ત્યાં સુધી કામગીરી ના કરવી તે કેટલું યોગ્ય? દેશના રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કહે છે કે અમે રોજ હજારો કિલોમીટરના રોડ બનાવીએ છીએ પણ બન્યા બાદ તૂટી પણ જાયે છે તેની કામગીરી કોણ કરશે? આ એક સળગતો પ્રશ્ન છે અને ખાડાઓના કારણે નિર્દોષોનો જીવ જાય તે તો અતિ ગંભીર બાબત છે. આ ઘટના રાજ્ય તો ઠીક પણ કેન્દ્રની કામગીરી પર કલંક સમાન છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.