આ જૂઓ કેવો હોય છે દાઉદી વ્હોરા સમુદાય, જેને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-11 19:42:04

દાઉદી વ્હોરા સમુદાય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ નાતો રહેલો છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયના સૈફ એકેડમીના એક કેમ્પસનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વ્હોરા સમુદાયના એક કાર્યક્રમોમાં પીએમ મોદી સામેલ થતા હોય છે. આ દાઉદી વ્હોરા સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ વાતની માહિતી દાઉદી વ્હોરા સમુદાયની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે. 


સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું મુખ્યાલય

દાઉદી વ્હોરા સમુદાયને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય માનવામાં આવે છે. આ સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ સમુદાયના અંતિમ અને 21માં ઈમામ તૈયબ અબુલને ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે 1132 પછી આધ્યાત્મિક ગુરૂઓની પરંપરા શરૂ થઈ જેમને દાઈ-અલ-મુતલક સૈયદના કહેવામાં આવે છે. 11મી સદીમાં ઈજિપ્તથી આ સમુદાય ભારત આવ્યો હતો અને 1539 આસપાસ ભારતમાં ખૂબ ઝડપથી આ સમુદાયનો વિસ્તાર થયો. ભારતમાં સમુદાયનો વિસ્તાર થવાથી આ સમુદાયે પોતાનું મુખ્યાલય યમનથી શિફ્ટ કરી ગુજરાતના સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું.       


સમગ્ર દેશમાં દાઉદી વ્હોરાની સંખ્યા 10 લાખની આસપાસ 

1558માં આ સમુદાયમાં વંશજ માટે વિવાદ સર્જાયો હતો. 1588માં આ સમુદાયના 30માં સૈયદનાનાં મોત પછી તેમનું વંશજ કોણ બનશે તે માટે વિવાદ ઉભો થયો હતો. દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે પદને લઈ વિવાદ છેડાયો જે બાદ વ્હોરા સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ભાગ થયો દાઉદી વ્હોરા અને બીજો ભાગ થયો સુલેમાની વ્હોરા. ભારતમાં આ સમુદાયના વસતીની વાત કરીએ તો દાઉદી વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે જ્યારે સુલેમાની વ્હોરાની વસતી 3 લાખ આસપાસ છે જ્યારે સમગ્ર  વિશ્વમાં દાઉદી વ્હોરાની વસતી 10 લાખ અને સુલેમાની વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે. સુલેમાની વ્હોરાની ઓફિસ યમનમાં આવી છે જ્યારે દાઉદીની ઓફિસ મુંબઈમાં આવેલી છે.     

 

વ્હોરામાં આધ્યાત્મિક ગુરૂને માનવામાં આવે છે સવોચ્ચ શક્તિ 

સૈયદનાના પદ ઉપર બેઠેલા વ્યક્તિને સમુદાયના લોકો સુપર ઓથોરિટીને સર્વોચ્ચ સત્તા માને છે. હાલ આ સમાજના લીડર ડો.સૈયદના મુફદ્લ સૈફુદ્દીન છે. 2014માં 52માં નેતા ડો. સૈયદની મોહમ્મદ બુરહાનુદ્દીનના અવસાન બાદ તેમણે આ પદ સંભાળ્યું હતું. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.