જેતપુરમાં 6 જેટલા ખખડધજ મકાન જમીનદોસ્ત, બે બાળકી સહિત ત્રણ લોકોના મોત, 5 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-07-05 18:14:07

રાજ્યમાં જુના ખખડધજ મકાનો સ્થાનિકો માટે ખતરનાક બની રહ્યા છે. જામનગરમાં ધરાશાઈ થયેલી બિલ્ડિંગની ઘટના લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં રાજકોટ જિલ્લાના જેતપુરના ગોદરામાં 6 જેટલા મકાન તુટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં લગભગ 100 વર્ષ જુનું મકાન ધરાશાઈ થતાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે. 6 જેટલા મકાન પડ્યા ત્યારે જબરદસ્ત અવાજ થયો હતો, બાદમાં લોકો અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


8 વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા


જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપર ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે. લગભગ 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાના બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.