Chinaમાં ફરી એક વખત Hospitals થયા ફુલ , WHOએ આપી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-24 11:45:11

આપણું વિશ્વ હમણાંજ કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યું છે, અને વિવિધ દેશોના અર્થતંત્રો તો હજુ  પાપા પગલી ભરી રહ્યા છે. ત્યાં તો ચાઇનાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે જે ડરાવી દે તેવા છે. ચાઈનામાં વધુ એક રોગચાળો પ્રસરી રહ્યો છે તેવા સમાચાર આવ્યા છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી બાળકોમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શાળાઓને બંધ કરી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે જ્યારે હોસ્પિટલો ફૂલ થઈ ગયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિ કોરોના સમયની યાદ અપાવે તેવી છે. 

બાળકોમાં વધી રહ્યો છે ન્યુમોનિયાનો ખતરો

એક સમય હતો તે કોરોનાને કારણે ચીનમાં હાહાકાર મચ્યો હતો. ધીમે ધીમે કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાયો. કોરોના સમયને યાદ નથી કરવો પરંતુ ચીનમાં એક રહસ્યમય બિમારી ઝડપથી ફેલાઈ રહી છે તેની વાત કરવી છે. એવા સમચાર મળ્યા છે કે હવે ત્યાં ન્યૂમોનિયાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. તદુપરાંત નાના બાળકો આની ઝપેટમાં ખૂબ ઝડપથી આવી રહ્યા છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે જે કોરોના સમયની યાદ અપાવે. 


WHOએ એલર્ટ કર્યું જાહેર  

કોરોનામાંથી વિશ્વ ધીરે ધીરે બહાર આવ્યું છે ત્યારે ચીનમાં ન્યુમોનિયાના કેસ વધી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે તે લિયાઓનિંગ અને પૂર્વ બેઇજિંગમાં તબાહી મચાવી શકે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે WHOએ એલર્ટ જારી કરીને ચીનને આ રહસ્યમય રોગની વિગતો આપવા કહ્યું છે. આના લક્ષણોની વાત કરીએ તો ન્યુમોનિયાથી પ્રભાવિત લોકોમાં ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. 



ક્યારથી આ રોગચાળો ફેલાયો તે અંગે નથી સ્પષ્ટતા 

ચીનમાં ક્યારથી આ રોગચાળો ફાટી નીકળ્યો તેની જાણકારી સામે આવી નથી. આ કેસ સામે આવવાની શરૂઆત ક્યારે થઈ તે પણ સ્પષ્ટ થયું નથી. પરંતુ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે કારણ કે આટલા બધા બાળકોને આટલી ઝડપથી અસર થાય તે વાત સામાન્ય નથી. આ રોગચાળાને મહામારી ગણવું ખૂબ વહેલું છે પરંતુ સાવચેતીના પગલા તો લેવા જોઈએ. મહત્વનું છે કે કોરોના બાદ કોઈ બિમારીનું નામ સાંભળીએ છીએ તો આપણને ડર લાગવા લાગે છે કે શું ફરી એક વખત વાયરલ આતંક મચાવશે?  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે