યુપીના શાહજહાંપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને રીક્ષા ટકરાતા 12 શ્રદ્ધાળુઓના મોત


  • Published By :
  • Published Date : 2024-01-25 22:56:39

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રક અને રીક્ષા વચ્ચેની ભયાનક અથડામણમાં 12 લોકોના મોત થયા છે. આ અથડામણમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા એક ડઝન જેટલા લોકોના મોત થયા હતા. ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. સવારે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રીક્ષા ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોને લઈને જઈ રહ્યા હતા. જલાલાબાદના ધારાસભ્ય, ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે સ્થળ પર પહોંચ્યા હતા. 


મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા


પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકોમાં 8 પુરુષ, 3 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે ટ્રકનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશન અલ્લાહગંજ વિસ્તારના સુગુસુગી ગામ પાસે સ્ટેટ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી.


 શ્રદ્ધાળુઓનું કરૂણ મોત


પ્રાપ્ત માહિતી અનુસાર, રીક્ષામાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ શાહજહાંપુરના મદનાપુર પોલીસ સ્ટેશનના દામગડા ગામથી ગંગામાં સ્નાન કરવા માટે ધાઈ ઘાટ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના સવારે 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. 


યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુ:ખ


આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. X પર લખ્યું, ‘ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.