લવ જેહાદને લઈ ગૃહરાજ્ય મંત્રી Harsh Sanghviએ આપ્યું મોટું નિવેદન, લવ જેહાદને લઈ કર્યા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-20 18:13:15

લવ જેહાદ શબ્દ આજકાલ અવાર નવાર સાંભળવા મળી રહ્યો છે. લવ જેહાદને લઈ અનેક નેતાઓ નિવેદન આપી રહ્યા છે. અનેક વખત લવ જેહાદનો મુદ્દો ઉઠ્યો છે... અનેક કિસ્સાઓ આપણી સામે લવ જેહાદ સામે આવ્યા છે.. લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી. 

લવ જેહાદને લઈ હર્ષ સંઘવીએ આપ્યો કડક સંદેશ!

નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ નિવેદન આપતા હોય છે. ત્યારે ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ નિવેદન આપ્યું છે. ગઈકાલે હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા ત્યાં ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ સંબોધન પણ કર્યું જેમાં તેમણે લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે.. 



શું કહ્યું હર્ષ સંઘવીએ?

નિવેદન આપતા તેમણે કહ્યું કે એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે... આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો.પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે... કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહી. મહત્વનું છે કે લવ જેહાદનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. 



વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..