આનંદો! સરકારી કર્મચારીઓ માટે 13 નવેમ્બરે રજા જાહેર, 11 થી 15 નવેમ્બર સુધી માણી શકશે મિની વેકેશન


  • Published By :
  • Published Date : 2023-11-05 15:22:12

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને ગૂડ ન્યુઝ આપ્યા છે, ગુજરાત સરકાર કર્મચારીઓ પર મહેરબાન થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધીનું મિની વેકેશન માણી શકશે. કર્મચારી સંગઠન દ્વારા દિવાળી દરમિયાન સળંગ રજાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી હવે સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ મળી શકશે. જેથી તેઓ ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકશે. તા. 13 નવેમ્બરનાં રોજ અધિકારીઓ/  કર્મચારીઓ તહેવાર માણી શકે કે માટે સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકાર બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેનાં બદલે તા. 9 ડિસેમ્બરનાં રોજ બીજા શનિવારનાં રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.  


સામાન્ય વહીવટી વિભાગે જાહેર કર્યો પરીપત્ર 


રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે જે અનુસાર આગામી ડિસેમ્બર મહિનાની 9મી તારીખે બીજો શનિવાર હોવા છતાં સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ જ રહેશે. ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી રજા, 12 નવેમ્બરના રોજ દિવાળી અને રવિવારની રજા છે. જ્યારે 13મીએ પડતર દિવસ બાદ 14 નવેમ્બરના રોજ મંગળવારે નૂતન વર્ષ અને 15 નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ રજાઓ વચ્ચે 13 નવેમ્બર સોમવારના રોજ સરકારી કચેરી ચાલુ રાખવામાં આવી હતી.જો કે દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુથી 13 નવેમ્બર સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેના બદલામાં 9 ડિસેમ્બરે બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!