Porbandar બાદ Morbiમાં બની Hit And Runની ઘટના, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-22 10:31:16

વાહનચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરતા હોય તેનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે. રાજ્યમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 જેટલા લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં બનેલી ઘટનામાં બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. દહીસરા ગામ પાસે બાઈક અને ટ્રકની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટ સર્જીને ઘટનાસ્થળ પરથી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જે અકસ્માત સર્જાયો છે તેમાં એક જ પરિવારના પાંચમાંથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે.    

 આ અકસ્માત સર્જનાર કારનો નંબર જીજે 25 જે 4303 છે. આ નંબર અને સીસીટીવીના આધારે પોરબંદર પોલીસ કારના ચાલક સુધી પહોંચી શકે છે.

 પોરબંદર: રાજ્યમાં ફરીથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પોરબંદરમાં કારચાલક નબીરા વધુ એક અકસ્માત સર્જયો હોવાનું અનુમાન છે. પોરબંદર શહેરમાં કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. (અકસ્માત સર્જનાર કારની તસવીર)

પોરબંદરમાં ગાડીએ અનેક વાહનોને લીધા હતા અડફેટે

રોડ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત થાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અકસ્માત સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે. ગઈકાલે પોરબંદરમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી એવું માનવામાં આવી રહ્યું છે કે કારચાલક નબીરો હતો અને નશાની હાલતમાં ધૂત હતો. અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો, પોલીસે ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જનારને શોધવાની તજવીજ હાથ ધરી હતી. 


મોરબી: હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત, પરિવાર વિખેરાઇ ગયો | Sandesh

કાર અને બાઈકની ટક્કર થતા થયા ત્રણ લોકોના મોત 

પોરબંદરની ઘટનાને હજી અમુક કલાકો જ થયા છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના મોરબીમાં બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મોરબીના નાના દહીસરા ગામ પાસે બની છે જેમાં બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં 2 વર્ષનું બાળક છે, પાંચ વર્ષની બાળકી છે અને તેમના પિતા છે. તો માતા અને બીજી પુત્રીની સારવાર ચાલી રહી છે. પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોત થતા દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. પોલીસે આ ઘટનામાં ગુન્હો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 



ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટના?

મહત્વનું છે કે આવી ઘટનાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈ બીજાની ભૂલને કારણે ભોગવવાનો વારો બીજાને આવે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. બેફામ રીતે વાહનચલાવનાર લોકો વિરૂદ્ધ કડક પગલા ક્યારે લેવામાં આવશે તે એક પ્રશ્ન છે? ક્યાં સુધી ઓવરસ્પીડિંગને કારણે આવા અકસ્માત સર્જાતા રહેશે? બેફામ રીતે વાહન ચલાવતા લોકોએ સમજવું પડશે કે આ રસ્તો તેમના બાપનો બગીચો નથી કે મન ફાવે તેમ વાહન ચલાવે...     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!