Suratમાં બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 3 લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 15:05:30

થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત થયો હતો જેમાં નબીરાએ અનેક લોકોને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં અનેક લોકોના મોત થાય છે... ઘણી વખત રસ્તા પરથી આપણે પસાર થતા હોઈએ તો પણ ડર લાગે કે ક્યાંક અકસ્માત ના સર્જાય. ઘણી વખત વાંક માત્ર સામે વાળા વ્યક્તિનો હોય પરંતુ તેનું પરિણામ અનેક લોકોને ભોગવવું પડતું હોય છે.. ઓવરસ્પીડને કારણે અનેક કિસ્સાઓમાં ગાડી ચાલક નશા પણ હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. 




પુર ઝડપે ગાડી આવી અને 7 લોકોને અડફેટે લેતી ગઈ 

હિટ એન્ડ રનની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં બેફામ બનેલા કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેની ધરપકડ પોલીસે કરી છે. આ ઘટના મોટા વરાછા વિસ્તારમાં બની છે.. શુક્રવારની રાત્રે કાર ચાલકે રોડની બાજુમાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને આ દુર્ઘટના બની તેવી માહિતી સામે આવી છે.. 



પોલીસે કરી કાર ચાલકની અટકાયત!

ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. ઘટના સ્થળ પર પોલીસ પણ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી કારે માત્ર અમુક ક્ષણોમાં અનેક લોકોની જીંદગી ખતમ કરી નાખી. પરિવારનો માળો વિખરાઈ જાય છે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે.. અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરવાળાઓને ટેન્શન રહેતું હોય છે.. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.