Suratમાં બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 3 લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-06-08 15:05:30

થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત થયો હતો જેમાં નબીરાએ અનેક લોકોને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં અનેક લોકોના મોત થાય છે... ઘણી વખત રસ્તા પરથી આપણે પસાર થતા હોઈએ તો પણ ડર લાગે કે ક્યાંક અકસ્માત ના સર્જાય. ઘણી વખત વાંક માત્ર સામે વાળા વ્યક્તિનો હોય પરંતુ તેનું પરિણામ અનેક લોકોને ભોગવવું પડતું હોય છે.. ઓવરસ્પીડને કારણે અનેક કિસ્સાઓમાં ગાડી ચાલક નશા પણ હોય છે જેને કારણે અકસ્માત સર્જાય છે. 




પુર ઝડપે ગાડી આવી અને 7 લોકોને અડફેટે લેતી ગઈ 

હિટ એન્ડ રનની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં બેફામ બનેલા કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેની ધરપકડ પોલીસે કરી છે. આ ઘટના મોટા વરાછા વિસ્તારમાં બની છે.. શુક્રવારની રાત્રે કાર ચાલકે રોડની બાજુમાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને આ દુર્ઘટના બની તેવી માહિતી સામે આવી છે.. 



પોલીસે કરી કાર ચાલકની અટકાયત!

ઘટનાને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. લોકોનું ટોળું એકત્ર થઈ ગયું. ઘટના સ્થળ પર પોલીસ પણ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર ચાલકની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી કારે માત્ર અમુક ક્ષણોમાં અનેક લોકોની જીંદગી ખતમ કરી નાખી. પરિવારનો માળો વિખરાઈ જાય છે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે.. અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરવાળાઓને ટેન્શન રહેતું હોય છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે