દ્વારકા મંદિર દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય, હવેથી પ્રતિદિન ભગવાનને અર્પણ થશે આટલી ધજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 13:30:37

હિંદુ ધર્મમાં જેટલું સ્થાન ભગવાનના દર્શન કરવાનું હોય છે તેટલું જ મહત્વ ધજા દર્શન કરવાનું પણ હોય છે. અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે જગતમંદિર દ્વારકામાં પણ હજારો ભક્તો ધજા અર્પણ કરે છે. પ્રતિદિન ભગવાન દ્વારકાધીશને પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. ત્યારે દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી ભક્તો કરી રહ્યા હતા. ત્યારે ભક્તોની લાગણીને માન આપી જિલ્લા કલેક્ટર તેમજ દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી પ્રતિદિન ઠાકોરજીને 6 ધજા અર્પણ કરવામાં આવશે. 


હવેથી પ્રતિદિન 6 ધજા ચઢાવવામાં આવશે

થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. દ્વારકા સહિતના અનેક જિલ્લાઓને એલર્ટ પણ મૂકી દેવાયા હતા. ત્યારે ધજા ચઢાવતા પૂજારીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક દિવસો સુધી ભગવાનને ધજા અર્પણ કરવામાં આવી ન હતી. ધજાની માત્ર પૂજા કરવામાં આવતી હતી. પરંતુ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે પંદર દિવસ સુધી દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવામાં આવતી હતી. ભક્તોએ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ પ્રતિદિન 6 ધજા અર્પણ કરવામાં આવે તેવી ભક્તોની માગ હતી. ત્યારે મંગળવારે એક બેઠક મળી હતી જેમાં મંદિર પર છઠ્ઠી ધજા ચઢાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 2024 સુધી ધજાનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.       


ઐતિહાસિક નિર્ણયથી ભક્તોમાં વ્યાપી આનંદની લાગણી

જે નિર્ણય દ્વારકા મંદિર દ્વારા લેવામાં આવ્યો છે તેને ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવે છે. બિપોરજોય વખતે લેવાયેલા નિર્ણયને ભક્તોએ ખુશી ખુશી અપનાવ્યો હતો ત્યારે આ નિર્ણયથી તો ભક્તો ગદ ગદ થઈ ગયા છે. પ્રથામાં કરાયેલા ફેરફારને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હવેથી દ્વારકા મંદિરના શિખર પર પ્રતિદિન પાંચની જગ્યાએ 6 ધજા ચઢશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.