દ્વારકા મંદિર દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય, હવેથી પ્રતિદિન ભગવાનને અર્પણ થશે આટલી ધજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 13:30:37

હિંદુ ધર્મમાં જેટલું સ્થાન ભગવાનના દર્શન કરવાનું હોય છે તેટલું જ મહત્વ ધજા દર્શન કરવાનું પણ હોય છે. અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે જગતમંદિર દ્વારકામાં પણ હજારો ભક્તો ધજા અર્પણ કરે છે. પ્રતિદિન ભગવાન દ્વારકાધીશને પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. ત્યારે દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી ભક્તો કરી રહ્યા હતા. ત્યારે ભક્તોની લાગણીને માન આપી જિલ્લા કલેક્ટર તેમજ દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી પ્રતિદિન ઠાકોરજીને 6 ધજા અર્પણ કરવામાં આવશે. 


હવેથી પ્રતિદિન 6 ધજા ચઢાવવામાં આવશે

થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. દ્વારકા સહિતના અનેક જિલ્લાઓને એલર્ટ પણ મૂકી દેવાયા હતા. ત્યારે ધજા ચઢાવતા પૂજારીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક દિવસો સુધી ભગવાનને ધજા અર્પણ કરવામાં આવી ન હતી. ધજાની માત્ર પૂજા કરવામાં આવતી હતી. પરંતુ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે પંદર દિવસ સુધી દિવસમાં પાંચની જગ્યાએ 6 ધજા અર્પણ કરવામાં આવતી હતી. ભક્તોએ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ પ્રતિદિન 6 ધજા અર્પણ કરવામાં આવે તેવી ભક્તોની માગ હતી. ત્યારે મંગળવારે એક બેઠક મળી હતી જેમાં મંદિર પર છઠ્ઠી ધજા ચઢાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 2024 સુધી ધજાનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.       


ઐતિહાસિક નિર્ણયથી ભક્તોમાં વ્યાપી આનંદની લાગણી

જે નિર્ણય દ્વારકા મંદિર દ્વારા લેવામાં આવ્યો છે તેને ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવે છે. બિપોરજોય વખતે લેવાયેલા નિર્ણયને ભક્તોએ ખુશી ખુશી અપનાવ્યો હતો ત્યારે આ નિર્ણયથી તો ભક્તો ગદ ગદ થઈ ગયા છે. પ્રથામાં કરાયેલા ફેરફારને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હવેથી દ્વારકા મંદિરના શિખર પર પ્રતિદિન પાંચની જગ્યાએ 6 ધજા ચઢશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!