ઐતિહાસિક નિર્ણય! ભક્તોની ધજાઓનું આરોહણ થાય તે માટે દ્વારકાધીશ મંદિરે આ નિયમોમાં કર્યા ફેરફાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-04 09:32:35

બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારા પર વસેલા વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળી હતી. દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે બિપોરજોયે નુકસાન સર્જ્યું હતું. ભારે પવનને કારણે તેમજ ધોધમાર વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે જગત મંદિર દ્વારકામાં પણ બિપોરજોય વાવાઝોડાને કારણે ધજા અનેક દિવસો સુધી ચઢાવવામાં આવી ન હતી. જ્યાં સુધી બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું નહીં ત્યાં સુધી માત્ર ધજાની  પૂજા કરવામાં આવતી હતી. ત્યારે ધજાને લઈ મંદિર પ્રશાસન દ્વારા  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દિવસમાં પાંચ ધજાની બદલીમાં 6 ધજા ચઢાવવામાં આવશે.

દ્વારકા - વિકિપીડિયા

આગામી દિવસો દરમિયાન પાંચ નહીં પરંતુ ચઢશે 6 ધજા!

જગત મંદિર દ્વારકામાં પ્રતિદિન શિખર પર પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. દિવસમાં પાંચ ધજા ચઢાવવામાં આવે છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક દિવસો સુધી ધજા ચઢાવવામાં આવી ન હતી. જેને લઈ ભક્તોમાં નિરાશા પણ જોવા મળી હતી. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલથી ભક્તોની ધજા ચઢાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ધજા ચઢી શકે તે માટે જગતમંદિર  ધજા રોહણ સમિતિએ એતિહાસિક નિર્ણય લીધો છે જે મુજબ 15 દિવસ દરમિયાન મંદિરના શિખર પર પાંચ નહીં પરંતુ છ ધજા ચઢાવવામાં આવશે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાના સમય દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ધજા ચઢાવવામાં આવતી ન હતી. જેને લઈ અનેક ધજાઓ અર્પણ કરવાની બાકી રહી ગઈ હતી. ત્યારે ભક્તોના હિતમાં કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે.


 

બિપોરજોય વાવાઝોડા દરમિયાન ન હોતી ચઢાવાઈ ધજા 

દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને દરરોજ સવારે 3  અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી  ધજા શિખર પર ચઢાવવામાં આવતી ન હતી. આસ્થા સાથે ભક્તો ધજા અર્પણ કરતા હોય છે પરંતુ બિપોરજોયના સમયે ધજા અર્પણ કરવામાં આવી નથી. જેને લઈ આગામી 15 દિવસ સુધી શિખર પર 6 ધજા ચઢશે. સવારે ત્રણની જગ્યાએ ચાર ધજા અર્પણ કરવામાં આવશે અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે કોઈ મશીન અથવા તો સીડી રાખવામાં આવે છે પરંતુ દ્વારકા મંદિરમાં બ્રાહ્મણ પોતે શિકર પર જઈ ચઢા ચઢાવે છે. ગમે તેવી ઋતુ હોય પરંતુ ધજા શિખર પર  જઈ ચઢાવવાનું નથી ચૂકતા.                 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!