ઐતિહાસિક નિર્ણય! ભક્તોની ધજાઓનું આરોહણ થાય તે માટે દ્વારકાધીશ મંદિરે આ નિયમોમાં કર્યા ફેરફાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-04 09:32:35

બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારા પર વસેલા વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળી હતી. દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે બિપોરજોયે નુકસાન સર્જ્યું હતું. ભારે પવનને કારણે તેમજ ધોધમાર વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ત્યારે જગત મંદિર દ્વારકામાં પણ બિપોરજોય વાવાઝોડાને કારણે ધજા અનેક દિવસો સુધી ચઢાવવામાં આવી ન હતી. જ્યાં સુધી બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું નહીં ત્યાં સુધી માત્ર ધજાની  પૂજા કરવામાં આવતી હતી. ત્યારે ધજાને લઈ મંદિર પ્રશાસન દ્વારા  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દિવસમાં પાંચ ધજાની બદલીમાં 6 ધજા ચઢાવવામાં આવશે.

દ્વારકા - વિકિપીડિયા

આગામી દિવસો દરમિયાન પાંચ નહીં પરંતુ ચઢશે 6 ધજા!

જગત મંદિર દ્વારકામાં પ્રતિદિન શિખર પર પાંચ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. દિવસમાં પાંચ ધજા ચઢાવવામાં આવે છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક દિવસો સુધી ધજા ચઢાવવામાં આવી ન હતી. જેને લઈ ભક્તોમાં નિરાશા પણ જોવા મળી હતી. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલથી ભક્તોની ધજા ચઢાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ધજા ચઢી શકે તે માટે જગતમંદિર  ધજા રોહણ સમિતિએ એતિહાસિક નિર્ણય લીધો છે જે મુજબ 15 દિવસ દરમિયાન મંદિરના શિખર પર પાંચ નહીં પરંતુ છ ધજા ચઢાવવામાં આવશે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાના સમય દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ધજા ચઢાવવામાં આવતી ન હતી. જેને લઈ અનેક ધજાઓ અર્પણ કરવાની બાકી રહી ગઈ હતી. ત્યારે ભક્તોના હિતમાં કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે.


 

બિપોરજોય વાવાઝોડા દરમિયાન ન હોતી ચઢાવાઈ ધજા 

દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશને દરરોજ સવારે 3  અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ બિપોરજોય વાવાઝોડાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી  ધજા શિખર પર ચઢાવવામાં આવતી ન હતી. આસ્થા સાથે ભક્તો ધજા અર્પણ કરતા હોય છે પરંતુ બિપોરજોયના સમયે ધજા અર્પણ કરવામાં આવી નથી. જેને લઈ આગામી 15 દિવસ સુધી શિખર પર 6 ધજા ચઢશે. સવારે ત્રણની જગ્યાએ ચાર ધજા અર્પણ કરવામાં આવશે અને સાંજે બે ધજા અર્પણ કરવામાં આવશે. મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક મંદિરોમાં ધજા ચઢાવવા માટે કોઈ મશીન અથવા તો સીડી રાખવામાં આવે છે પરંતુ દ્વારકા મંદિરમાં બ્રાહ્મણ પોતે શિકર પર જઈ ચઢા ચઢાવે છે. ગમે તેવી ઋતુ હોય પરંતુ ધજા શિખર પર  જઈ ચઢાવવાનું નથી ચૂકતા.                 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.