યૂનિલીવરે Dove અને Tresemmé શેમ્પૂ પાછા ખેંચ્યા, વૈજ્ઞાનિકોએ કેન્સરની સંભાવના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:55:33

વિશ્વની પ્રખ્યાત FMCG કંપની યુનિલીવરે બજારમાંથી ડવ (Dove) અને ટ્રેસેમે (Tresemme) સહિતના ઘણા શેમ્પૂ પાછા મંગાવ્યા છે. યુનિલિવરના આ શેમ્પૂ બ્રાન્ડ્સ કેન્સરનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કંપનીએ આ શેમ્પૂ બ્રાન્ડ્સને બજારમાંથી પાછી ખેંચી લીધી છે. શેમ્પુ પાછા ખેંચવાની આ કવાયત અમેરિકાના માર્કેટમાં કરવામાં આવી છે. આ શેમ્પૂ બ્રાન્ડ્સમાં Dove, TRESemmé, Nexxus, Suave, TIGIનો સમાવેશ થાય છે. માથામાં વધુ પડતા ડેન્ડ્રફના કિસ્સામાં આ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ ઑક્ટોબર 2021 પહેલાં ઉત્પાદિત શેમ્પૂને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેર કેર ઉત્પાદનો પાછા મંગાવ્યા છે, તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થાય છે.


Dove અને Tresemme શેમ્પૂથી કેન્સરનો ખતરો


અમેરિકાના મીડિચા રિપોર્ટ પ્રમાણે યુનિલિવરના આ શેમ્પમાં બેંઝીન (benzene) કેમિકલ મળી આવે છે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કેમિકલના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના જણાવ્યા પ્રમાણે આ પ્રોડક્ટસ ઓક્ટોબર 2021થી પહેલા બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં રિટેલર્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવ્યા હતા.


કેટલું ખતરનાક છે બેંઝીન?


અમેરિકાના આરોગ્ય નિયામક FDAએ તેની રિકોલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બેંઝીનથી માણસોમાં કેન્સર થઈ શકે છે. બેંઝીન અનેક રીતે મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ સુંઘવાથી, મોં અને ત્વચા દ્વારા શરીરમાં જઈ શકે છે. તેનાથી લ્યૂકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. FDAનું કહેવું છે કે લોકોએ આ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ અને પોતાના પૈસા પાછા મેળવવા વિઝીટ કરવી જોઈએ. જો કે આટલા મોટા વિવાદ છતાં યૂનિલિવરે તાત્કાલિક કોઈ સ્પ।ષ્ટીકરણ આપ્યું નથી. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.