કેનેડામાં હિંદુ મંદિરમાં થઈ તોડફોડ, દિવાલ પર લખાયા આપત્તિજનક સૂત્રો, પોલીસે શરૂ કરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-06 12:13:10

વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેનેડામાં ફરી એક વખત હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું છે. કાળા કપડાં અને માસ્ક પહેરીને આવેલા લોકોએ ઓંટારિયો સ્થિત મંદિરની દિવાલ પર નફરતભરેલા લખાણ લખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલી ઘટના નથી જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય પરંતુ 6 મહિનાની અંદર આ પાંચમી ઘટના છે જેમાં હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.


હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ!

મંદિરોને હિંદુઓની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે દુખી કરે એવા છે. વિદેશની ધરતી પર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે. કેનેડાથી ફરી એક વખત આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે ઉપરાંત આપત્તિજનક સૂત્રો પણ લખવામાં આવ્યા છે. કાળા કપડા પહેરી અને માસ્ક લગાવી અજાણ્યા લોકોએ ઓંટારિયોમાં સ્થિત મંદિરની દિવાલો પર લખાણ લખ્યું ઉપરાંત તોડફોડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


આ અગાઉ પણ મંદિરો પર થયા છે હુમલો 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે કેનેડાના વિંડસર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને અંજામ આપવા ત્રણ લોકો આવ્યા હતા. બે લોકો મંદિરની દિવાલો પર લખાણ લખી રહ્યા હતા જ્યારે એક વ્યક્તિ આજુ બાજુ નજર રાખી રહ્યો હતો. કેનેડામાં હિંદુ મંદિરો પર થતાં હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાથી આવી ઘટના સામે આવી હતી. ત્યારે હિંદુ મંદિરો પર થતાં હુમલાઓ ચિંતાનો વિષય બન્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે