ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 15 દિવસમાં હિંદુ મંદિર પર ત્રીજો હુમલો, ખાલીસ્તાની સમર્થકોઓ કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-01-23 14:09:29

ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રીજી વખત ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલો થયો છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિંદુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ પણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર હુમલો થયો હતો. 


મંદિરની દિવાલો ખાલિસ્તાની સુત્રો 


મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં હિંદુ મંદિરને તોડવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર ખાવિસ્તાનના સમર્થનમાં સુત્રો લખ્યા છે. ઈસ્કોન મંદિર જેને હરે કૃષ્ણ મંદિરના નામથી પણ ઓળખાય છે. મેલબોર્નમાં ભક્તિ યોગ આંદોલનનું એક પ્રસિધ્ધ કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિર સાથે તોડફોડ કરવામાં આવી અને દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ જેના સુત્રો પણ લખવામાં આવ્યા હતા.




હિંદુઓએ હુમલાને વખોડ્યો


ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હિંદુ મંદિરોને જે પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી સ્થાનિક હિંદુ સમાજ પણ દુખી છે. ઈસ્કોન મંદિરના એક કર્મચારીએ જણાવ્યું કે જે લોકો શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરૂધ્ધ પોતાના નફરતભર્યો એજન્ડો ચલાવી રહ્યા છે તેમ છતા બે સપ્તાહમાં વિક્ટોરિયા પોલીસ  તે લોકો સામે વિરૂધ્ધ કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના અધ્યક્ષ મકરંદ ભાગવતે પણ આ અંગે કહ્યું કે પૂજા સ્થળોની સામે કોઈ પણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વિકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.