ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 15 દિવસમાં હિંદુ મંદિર પર ત્રીજો હુમલો, ખાલીસ્તાની સમર્થકોઓ કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-01-23 14:09:29

ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રીજી વખત ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલો થયો છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિંદુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ પણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર હુમલો થયો હતો. 


મંદિરની દિવાલો ખાલિસ્તાની સુત્રો 


મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં હિંદુ મંદિરને તોડવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર ખાવિસ્તાનના સમર્થનમાં સુત્રો લખ્યા છે. ઈસ્કોન મંદિર જેને હરે કૃષ્ણ મંદિરના નામથી પણ ઓળખાય છે. મેલબોર્નમાં ભક્તિ યોગ આંદોલનનું એક પ્રસિધ્ધ કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિર સાથે તોડફોડ કરવામાં આવી અને દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ જેના સુત્રો પણ લખવામાં આવ્યા હતા.




હિંદુઓએ હુમલાને વખોડ્યો


ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હિંદુ મંદિરોને જે પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી સ્થાનિક હિંદુ સમાજ પણ દુખી છે. ઈસ્કોન મંદિરના એક કર્મચારીએ જણાવ્યું કે જે લોકો શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરૂધ્ધ પોતાના નફરતભર્યો એજન્ડો ચલાવી રહ્યા છે તેમ છતા બે સપ્તાહમાં વિક્ટોરિયા પોલીસ  તે લોકો સામે વિરૂધ્ધ કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના અધ્યક્ષ મકરંદ ભાગવતે પણ આ અંગે કહ્યું કે પૂજા સ્થળોની સામે કોઈ પણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વિકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે