Haryana: નૂહમાં હિંદુ સંગઠનો સોમવારે જલાભિષેક યાત્રા કાઢવા અડગ, ઈન્ટરનેટ સેવા બંધ, કલમ 144 લાગુ


  • Published By :
  • Published Date : 2023-08-27 12:39:01

હરિયાણા સરકારે નૂહમાં 28 ઓગસ્ટે ફરી જલાભિષેક યાત્રા કાઢવાની મંજૂરી આપી નથી. જોકે, કેટલાક હિંદુ સંગઠનો યાત્રા કાઢવા પર અડગ છે. સીએમ મનોહર લાલે કહ્યું કે ઓગસ્ટની શરૂઆતમાં નૂહમાં જે પ્રકારની ઘટના બની હતી તેને જોતા સરકારની ફરજ છે કે તે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે. અમારી પોલીસ અને વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે કે યાત્રા (બ્રજ મંડળ શોભા યાત્રા) કાઢવાને બદલે લોકો નજીકના મંદિરોમાં જઈને પ્રાર્થના કરે છે. યાત્રાની મંજૂરી નથી પરંતુ લોકો મંદિરોમાં જઈને પ્રાર્થના કરી શકે છે કારણ કે આ શ્રાવણ મહિનો છે. નૂહમાં 28 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે, જિલ્લામાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.


VHP નેતાએ કરી આ અપીલ


VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને શનિવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ યાત્રા VHP દ્વારા નહીં, પરંતુ મેવાતના સર્વ હિન્દુ સમાજ દ્વારા કાઢવામાં આવશે. તેમણે કહ્યું, "સર્વ હિન્દુ સમાજે યાત્રા કાઢવાનો અને આયોજિત કરવાનો નિર્ણય લીધો છે... અમે 28 ઓગસ્ટે યોજાનારી યાત્રાના આકાર અને સ્વરૂપ વિશે પ્રશાસન સાથે ચર્ચા કરવા તૈયાર છીએ." તેમણે લોકોને અપીલ પણ કરી કે પોતપોતાના વિસ્તારોમાં સમાન યાત્રાઓ કાઢો અને મેવાતમાં આયોજિત યાત્રામાં જોડાઓ નહીં. "અમે લોકોને આહ્વાન કર્યું છે કે તે સુનિશ્ચિત કરે કે મેવાતની બહારથી કોઈ 28 ઓગસ્ટે યાત્રામાં ભાગ ન લે."


નૂહમાં ઈન્ટરનેટ સેવા ફરી 28 ઓગસ્ટ સુધી બંધ, કલમ 144 લાગુ


હરિયાણા સરકારે નૂહમાં ફરી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. ગૃહ વિભાગે જિલ્લામાં શનિવારે બપોરે 12 વાગ્યાથી 28 ઓગસ્ટની રાત્રે 11:59 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અને બલ્ક એસએમએસ પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ સચિવ ટીવીએસએન પ્રસાદે આ અંગે એક પત્ર જારી કર્યો છે. સાવચેતીના ભાગ રૂપે CrPCની કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.


વિશ્વ હિંદુ પરિષદે 28 ઓગસ્ટે નૂહમાં ફરીથી બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. નૂહના ડીસી ધીરેન્દ્ર ખરગટાએ 25 ઓગસ્ટે ગૃહ વિભાગને પત્ર લખીને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ભલામણ કરી હતી. આ પહેલા નૂહમાં હિંસાને પગલે 31 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.