Hindenberg ઈફેક્ટ: અદાણીની કંપનીઓના ભાવ 20% તુટ્યા, કોંગ્રેસે કરી તપાસની માગ


  • Published By :
  • Published Date : 2023-01-27 16:31:52

અમેરિકાના રીસર્ચ ફર્મ હિંડેનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓની પોલ ખોલતી એક રિપોર્ટ બુધવારે જાહેર કરી હતી. જેની સૌથી ભયાનક અસર આજે ભારતીય શેર બજારમાં જોવા મળી છે. અદાણીની કંપનીઓના શેર બીજા દિવસે પણ તુટ્યા હતા. આજે અદાણી ગ્રુપની કંપનીઓના શેર 20% સુધી તુટી ગયા છે.


અદાણીની કઈ કંપનીઓને નુકસાન


ઘટાડાની સૌથી વધુ અસર અદાણી ટોટલ ગેસના શેર પર થઈ છે. આ કંપનીના શેર 19.6 ટકા સુધી તુટી ગયા. તે ઉપરાંત અદાણી ગ્રીન 13 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી વિલ્મર 5 ટકા અને એનડીટીવીના શેરમાં 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 


હિંડેનબર્ગે આપ્યો જોરદાર ફટકો


અદાણી ગ્રૂપના શેરોમાં આ ઘટાડો ફોરેન્સિક ફાયનાન્સિયલ રિસર્ચ ફર્મ હિંડેનબર્ગની ચોંકાવનારી રિપોર્ટ બાદ આવ્યો છે.  આ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે તેણે અદાણીની કંપનીમાં શોર્ટ પોઝિશન લીધી છે. રિપોર્ટમાં અદાણીની કંપની પર અનેક ગંભીર અરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની 7 લિસ્ટેડ કંપનીના શેરના ભાવ 85 ટકાથી પણ વધુ ઓવરવેલ્યુડ છે. હિંડેનબર્ગ રિસર્ચની લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલો કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપ પરથી શેરબજારના રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. હિંડેનબર્ગ રિપોર્ટે અદાણીની કંપનીઓની શાખને જબરદસ્ત ફટકો પહોંચાડ્યો છે. રોકાણકારોએ માર્કેટમાંથી શેર વેચવાનું શરૂ કરતા અંગે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 20 ટકા જેટલા તુટી ગયા હતા.   


કોંગ્રેસે તપાસની કરી માગ


હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ કોંગ્રેસ પાર્ટીએ ભારતીય રિઝર્વ બેંક અને સેબીને આ મામલાની તપાસની માગ કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આરોપની સત્યતા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિની સાથે-સાથે હાઈકોર્ટની નજર હેઠળ તપાસ કરાવવાની માગ કરી હતી.   



કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની LG ને તેના IPO માટે બજાર નિયમનકાર SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. ભારતીય બજારમાં લિસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે LGનો IPO દેશનો પાંચમો સૌથી મોટો ઇશ્યૂ હશે. આ જાહેર ઇશ્યૂ હેઠળ, પ્રમોટર કોરિયન કંપની લગભગ 10.18 કરોડ શેર વેચાણ માટે ઓફર કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને લઇને ૩૦ દિવસનો સીઝફાયર કરવા માટે સેહમત થયા . આ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર છે . લાખો લોકોએ પોતાના સ્વજનો અને મકાનો ગુમાવી દીધા છે . હવે જોઈએ કે , ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ અટકાવવામાં કેટલા સફળ થાય છે.

IPL 2025નો આગામી 22મી માર્ચથી શરૂ થશે. BCCI વિશ્વની મુખ્ય ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટના 18 વર્ષ થતા, તમામ 13 સ્થળો પર વિશેષ સમારંભનું આયોજન કરશે. દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆતમાં રંગારંગ કાર્યક્રમોમાં વિવિધ કલાકાર પરફોર્મ કરશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બેઉ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે . જોકે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ ખુબ જ વિશેષ છે. તેમણે જે પ્રયોગો કર્યા છે અને સ્પેસવોક કર્યું છે તે ખુબ જ મહત્વનું છે . સુનિતા વિલિયમ્સની આ બધી જ સિદ્ધિઓ બીજા મહિલા અવકાશયાત્રી કરતા ખુબ વિશેષ છે .