અમિત શાહ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-05 15:53:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હિમાંશુ વ્યાસની ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે અને હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હિમાંશુ વ્યાસને કેસરિયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો. 


કોણ છે હિમાંશુ વ્યાસ?

હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા હતા. તેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ સેક્રેટરી પદે પણ સેવા આપી હતી. હિમાંશુ વ્યાસે કોંગ્રેસના સંગઠનમાં ઘણી કામગીરી કરી હતી.

હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડવાનો શું કારણો આપ્યા?

ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કોંગ્રેસ છોડવા પાછળના કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓને અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે, આ ઓપરેટરો સાચા કાર્યકર્તાને હાઈ કમાન્ડ સુધી પહોંચવા દેતા નથી. મારા જેવા આગેવાનો, કાર્યકરો પાસે ઘણી સ્થાનિક વાતો હોય છે જે અમારે ઉપર સુધી પહોંચાડવી હોય છે. મને અનુભવ થતું હતું કે હું સુષુપ્ત અવસ્તા જાળવી શકું તેમ નથી, આથી મને થયું કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. જે પાર્ટીનું નૈતૃત્વ દેશના કાર્યકર્તાઓને સાંભળે છે તે ભાજપ છે. તેથી મને લાગ્યું કે ભાજપ મારી વાતો સાંભળશે અને મને કામ કરવાનો મોકો આપશે. આથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મને પાર્ટીમાં જોડાવાના આશિર્વાદ આપ્યા છે. મને અનેક લોકોએ કહ્યું છે કે ચૂંટણી લડવા આવ્યો છું. તે મારે કહેવું છે કે મેં ટિકિટ માટે વાત નથી કરી પરંતુ પક્ષની અંદર સંગઠનની કામગીરીમાં મને કામ કરવા નહોતું મળતું. આથી હું ભાજપમાં જોડાયો છું. હું નિષ્ક્રિય હતો અને મારે કામ કરવું હતું, અમિત શાહ પણ અહીં જ હતા તો મેં કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયો છું.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.